Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 133-135.

< Previous Page   Next Page >


Page 81 of 297
PDF/HTML Page 105 of 321

 

background image
संमुच्छिणा मणुस्सा अज्जवखंडेसु होंति णियमेण
ते पुण लद्धिअपुण्णा णारयदेवा वि ते दुविहा ।।१३३।।
सम्मूर्च्छनाः मनुष्याः आर्यखण्डेषु भवन्ति नियमेन
ते पुनः लब्धिअपूर्णाः नारकदेवाः अपि ते द्विविधाः ।।१३३।।
અર્થઃસમ્મૂર્ચ્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને
તે લબ્ધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને
નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી
ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય
મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી
સંક્ષેપતાથી
સંગ્રહ કરીકહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા
જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે
જીવસમાસ કહ્યા.
હવે પર્યાપ્તિનું વર્ણન કરે છેઃ
आहारसरीरिंदियणिस्सासुस्सासभासमणसाणं
परिणइवावारेसु य जाओ छ च्चेव सत्तीओ ।।१३४।।
आहारशरीरेन्द्रियनिःश्वासोच्छ्वासभाषामनसाम्
परिणतिव्यापारेषु च याः षडेव शक्तयः ।।१३४।।
અર્થઃઆહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને
મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થઃઆત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ
ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. તેના છ
પ્રકાર છે.
હવે શક્તિનું કાર્ય કહે છેઃ
तस्सेव कारणाणं पुग्गलखंधाण जा हु णिप्पत्ति
सा पज्जत्ती भण्णदि छब्भेया जिणवरिंदेहिं ।।१३५।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૧