લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — સમ્મૂર્ચ્છન મનુષ્ય નિયમથી આર્યખંડમાં જ હોય અને તે લબ્ધ્યપર્યાપ્તક જ હોય છે. વળી નારકી તથા દેવના, પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તના ભેદથી, ચાર પ્રકાર છે. એ પ્રમાણે તિર્યંચના પંચાશી ભેદ, મનુષ્યના નવ ભેદ, નારકી તથા દેવના ચાર ભેદ એમ બધાય મળી અઠ્ઠાણું ભેદ થયા. ઘણાને સમાનતાથી ભેગા કરી — સંક્ષેપતાથી સંગ્રહ કરી — કહેવામાં આવે તેને સમાસ કહે છે. અહીં ઘણા જીવોનો સંક્ષેપ કરીને કહેવું તેને જીવસમાસ જાણવો. એ પ્રમાણે જીવસમાસ કહ્યા.
હવે પર્યાપ્તિનું વર્ણન કરે છેઃ —
અર્થઃ — આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મનના પરિણમનની પ્રવૃત્તિમાં જે સામર્થ્ય છે તેના છ પ્રકાર છે.
ભાવાર્થઃ — આત્માને યથાયોગ્ય કર્મનો ઉદય થતાં આહારાદિ ગ્રહણની શક્તિ હોવી તેને શક્તિરૂપ પર્યાપ્તિ કહીએ છીએ. તેના છ પ્રકાર છે.
હવે શક્તિનું કાર્ય કહે છેઃ —