तस्याः एव कारणानां पुद्गलस्कन्धानां या स्फु टं निष्पत्तिः ।
सा पर्याप्तिः भण्यते षड्भेदाः जिनवरेन्द्रैः ।।१३५।।
અર્થઃ — એ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે
પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેને પર્યાપ્તિ
કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તનો કાળ કહે છેઃ —
१पज्जत्तिं गिह्णंतो मणुपज्जत्तिं ण जाव समणोदि ।
ता णिव्वत्तिअपुण्णो मणुपुण्णो भण्णदे पुण्णो ।।१३६।।
पर्याप्तिं गृह्णन् मनःपर्य्याप्तिं न यावत् समाप्नोति ।
तावत् निर्वृत्त्यपर्याप्तकः मनःपूर्णः भण्यते पूर्णः ।।१३६।।
અર્થઃ — આ જીવ, પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી
મનપર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્ત કહે છે, અને
જ્યારે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ભાવાર્થઃ — અહીં સંજ્ઞીપંચેન્દ્રિય જીવની અપેક્ષા લક્ષમાં લઈ આ
પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ
ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-આશ્રિત
કથન છે.
१त्तज्जपस्स य उदये णियणियपज्जत्तिणिट्ठिदो होदि ।
जाव सरीरमपुण्णं णिव्वत्ति-अपुण्णगो ताव ।।
(ગો. જી. ગા. ૧૨૦)
पर्याप्तस्य च उदये निजनिजपर्याप्तिनिष्ठितो भवति ।
यावत् शरीरं अपूर्णं निर्वृत्त्यपूर्णकः तावत् ।।
અર્થ — પર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાપ્તિ
બનાવે છે. જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને
નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.
૮૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા