Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 136.

< Previous Page   Next Page >


Page 82 of 297
PDF/HTML Page 106 of 321

 

background image
तस्याः एव कारणानां पुद्गलस्कन्धानां या स्फु टं निष्पत्तिः
सा पर्याप्तिः भण्यते षड्भेदाः जिनवरेन्द्रैः ।।१३५।।
અર્થઃએ શક્તિની પ્રવૃત્તિની પૂર્ણતાના કારણરૂપ જે
પુદ્ગલસ્કંધ છે તેની પ્રગટપણે નિષ્પત્તિ અર્થાત્ પૂર્ણતા હોવી તેને પર્યાપ્તિ
કહે છે એમ જિનેન્દ્રદેવે કહ્યું છે.
હવે પર્યાપ્ત અને નિર્વૃત્ત્યપર્યાપ્તનો કાળ કહે છેઃ
पज्जत्तिं गिह्णंतो मणुपज्जत्तिं ण जाव समणोदि
ता णिव्वत्तिअपुण्णो मणुपुण्णो भण्णदे पुण्णो ।।१३६।।
पर्याप्तिं गृह्णन् मनःपर्य्याप्तिं न यावत् समाप्नोति
तावत् निर्वृत्त्यपर्याप्तकः मनःपूर्णः भण्यते पूर्णः ।।१३६।।
અર્થઃઆ જીવ, પર્યાપ્તિને ગ્રહણ કરતો થકો જ્યાં સુધી
મનપર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેને નિર્વૃત્ત્યપર્યાપ્ત કહે છે, અને
જ્યારે મનપર્યાપ્તિ પૂર્ણ થાય છે ત્યારે તેને પર્યાપ્ત કહે છે.
ભાવાર્થઃઅહીં સંજ્ઞીપંચેન્દ્રિય જીવની અપેક્ષા લક્ષમાં લઈ આ
પ્રમાણે કથન કર્યું છે; પરંતુ અન્ય ગ્રંથોમાં જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ
ન થાય ત્યાં સુધી તે નિર્વૃત્ત્યપર્યાપ્ત છે. એ પ્રમાણે સર્વજીવ-આશ્રિત
કથન છે.
त्तज्जपस्स य उदये णियणियपज्जत्तिणिट्ठिदो होदि
जाव सरीरमपुण्णं णिव्वत्ति-अपुण्णगो ताव ।।
(ગો. જી. ગા. ૧૨૦)
पर्याप्तस्य च उदये निजनिजपर्याप्तिनिष्ठितो भवति
यावत् शरीरं अपूर्णं निर्वृत्त्यपूर्णकः तावत् ।।
અર્થપર્યાપ્તિ નામના નામકર્મના ઉદયથી જીવ પોતપોતાની પર્યાપ્તિ
બનાવે છે. જ્યાં સુધી શરીરપર્યાપ્તિ પૂર્ણ થતી નથી ત્યાં સુધી તેને
નિર્વૃત્ત્યપર્યાપ્તક કહે છે.
૮૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા