Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 138.

< Previous Page   Next Page >


Page 84 of 297
PDF/HTML Page 108 of 321

 

background image
હવે એકેન્દ્રિયાદિ જીવોની પર્યાપ્તિની સંખ્યા કહે છેઃ
लब्धिअपुण्णे पुण्णं पज्जत्ती एयक्खवियलसण्णीणं
चदु-पण-छक्कं कमसो पज्जत्तीए वियाणेह ।।१३८।।
लब्ध्पर्याप्तके पूर्णं पर्याप्तिः एकाक्षविकलसंज्ञिनाम्
चतस्रः पञ्च षट् क्रमशः पर्याप्तयः विजानीहि ।।१३८।।
અર્થઃએકેન્દ્રિયની ચાર, વિકલત્રયની પાંચ અને
સંજ્ઞીપંચેન્દ્રિયની છ એ પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ હોય છે, વળી
લબ્ધ્યપર્યાપ્તક છે તે અપર્યાપ્તક છે, તેઓને પર્યાપ્તિ નથી.
ભાવાર્થઃએકેન્દ્રિયાદિકની ઉપર પ્રમાણે ક્રમથી પર્યાપ્તિ કહી.
અહીં અસંજ્ઞીનું નામ પણ લીધું નથી. ત્યાં સંજ્ઞીને છ તથા અસંજ્ઞીને
પાંચ પર્યાપ્તિ જાણવી. વળી નિર્વૃત્ત્યપર્યાપ્ત ગ્રહણ કરતાંની સાથે જ પૂર્ણ
થશે તેથી (તેમની) જે સંખ્યા કહી છે તે જ છે અને લબ્ધ્યપર્યાપ્ત જોકે
પંચેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તકના ૨૪ જન્મ-મરણ થાય છે અને એકેન્દ્રિયલબ્ધ્યપર્યાપ્તક
જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મરણ કરે છે. એ પ્રમાણે એકેન્દ્રિય,
વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ
થાય છે.
पुढविदगागणिमारुदसाहारणथूलसुहुमपत्तेया
एदेसु अपुण्णेसु य एक्केक्के बार खं छक्कं ।।
(ગો. જી. ગા. ૧૨૪)
पृथ्वीदकाग्निमारुतसाधारणस्थूलसूक्ष्मप्रत्येकाः
एतेषु अपूर्णेषु च एकैकस्मिन् द्वादश खं षट्कम् ।।
અર્થઃપૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ ચારના બાદર અને સૂક્ષ્મ ભેદે
ગણતાં આઠ ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને
પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક
જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા
એકેન્દ્રિય જીવોના ૬૬૧૩૨ ભવ થાય છે.
૮૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા