ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ
સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણોનું સ્વરૂપ અને સંખ્યા કહે
છેઃ —
मणवयणकायइंदियणिस्सासुस्सासआउ-उदयाणं ।
जेसिं जोए जम्मदि मरदि विओगम्मि ते वि दह पाणा ।।१३९।।
मनोवचनकायेन्द्रियनिःश्वासोच्छ्वासायुरुदयानाम् ।
येषां योगे जायते म्रियते वियोगे ते अपि दश प्राणाः ।।१३९।।
અર્થઃ — મન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુનો
ઉદય એના સંયોગથી તો ઊપજે – જીવે તથા એના વિયોગથી મરે તેને
પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થઃ — ‘જીવ’ એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી
દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને ‘જીવ’
સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છેઃ —
एयक्खे चदु पाणा बितिचउरिंदिय-असण्णि-सण्णीणं ।
छह सत्त अट्ठ णवयं दह पुण्णाणं कमे पाणा ।।१४०।।
एकाक्षे चत्वारः प्राणा द्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिनाम् ।
षट् सप्त अष्ट नवकं दश पूर्णानां क्रमेण प्राणाः ।।१४०।।
અર્થઃ — એકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર
ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તજીવોને અનુક્રમે છ –
સાત – આઠ – નવ – દશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે
છેઃ —
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૫