Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 139-140.

< Previous Page   Next Page >


Page 85 of 297
PDF/HTML Page 109 of 321

 

background image
ગ્રહણ કરી છે તો પણ પૂર્ણ થઈ શકી નહિ તેથી તેને અપૂર્ણ કહ્યા એમ
સૂચવે છે. એ પ્રમાણે પર્યાપ્તિનું વર્ણન કર્યું.
હવે પ્રાણોનું વર્ણન કરે છે. ત્યાં પ્રાણોનું સ્વરૂપ અને સંખ્યા કહે
છેઃ
मणवयणकायइंदियणिस्सासुस्सासआउ-उदयाणं
जेसिं जोए जम्मदि मरदि विओगम्मि ते वि दह पाणा ।।१३९।।
मनोवचनकायेन्द्रियनिःश्वासोच्छ्वासायुरुदयानाम्
येषां योगे जायते म्रियते वियोगे ते अपि दश प्राणाः ।।१३९।।
અર્થઃમન, વચન, કાય, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ અને આયુનો
ઉદય એના સંયોગથી તો ઊપજેજીવે તથા એના વિયોગથી મરે તેને
પ્રાણ કહે છે, અને તે દશ છે.
ભાવાર્થઃ‘જીવ’ એવો પ્રાણધારણ અર્થ છે. ત્યાં વ્યવહારનયથી
દશ પ્રાણ છે. તેમાં, યથાયોગ્ય પ્રાણસહિત જે જીવે તેને ‘જીવ’
સંજ્ઞા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં પ્રાણની સંખ્યા કહે છેઃ
एयक्खे चदु पाणा बितिचउरिंदिय-असण्णि-सण्णीणं
छह सत्त अट्ठ णवयं दह पुण्णाणं कमे पाणा ।।१४०।।
एकाक्षे चत्वारः प्राणा द्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिनाम्
षट् सप्त अष्ट नवकं दश पूर्णानां क्रमेण प्राणाः ।।१४०।।
અર્થઃએકેન્દ્રિયને ચાર પ્રાણ છે, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર
ઇન્દ્રિય, અસંજ્ઞીપંચેન્દ્રિય તથા સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તજીવોને અનુક્રમે છ
સાતઆઠનવદશ પ્રાણ છે. આ પ્રાણ પર્યાપ્તની અપેક્ષાએ કહ્યા છે.
હવે એ જ જીવોને અપર્યાપ્તદશામાં કેટલા પ્રાણ છે તે કહે
છેઃ
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૫