Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 141-142.

< Previous Page   Next Page >


Page 86 of 297
PDF/HTML Page 110 of 321

 

background image
दुविहाणमपुण्णाणं इगिबितिचउरक्ख-अंतिमदुगाणं
तिय चउ पण छह सत्त य कमेण पाणा मुणेयव्वा ।।१४१।।
द्विविधानां अपूर्णानां एकद्वित्रिचतुरक्षान्तिमद्विकानां
त्रयः चत्वारः पञ्च षट् सप्त च क्रमेण प्राणा ज्ञातव्याः ।।१४१।।
અર્થઃબંને પ્રકારના અપર્યાપ્ત ( નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા
લબ્ધ્યપર્યાપ્તક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. ચાર ઇન્દ્રિય,
અસંજ્ઞી તથા સંજ્ઞીપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે
અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થઃનિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્ત એકેન્દ્રિયોને ત્રણ,
બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છ તથા અસંજ્ઞી
સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છેઃ
बितिचउरक्खा जीवा हवंति णियमेण कम्मभूमीसु
चरिमे दीवे अद्धे चरम-समुद्दे वि सव्वेसु ।।१४२।।
द्वित्रिचतुरक्षाः जीवाः भवन्ति नियमेन कर्मभूमिषु
चरमे द्वीपे अर्द्धे चरमसमुद्रे अपि सर्वेषु ।।१४२।।
અર્થઃબેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય
કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને
અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થઃપાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ
કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે
તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ
નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ
નથી.
૮૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા