दुविहाणमपुण्णाणं इगिबितिचउरक्ख-अंतिमदुगाणं ।
तिय चउ पण छह सत्त य कमेण पाणा मुणेयव्वा ।।१४१।।
द्विविधानां अपूर्णानां एकद्वित्रिचतुरक्षान्तिमद्विकानां ।
त्रयः चत्वारः पञ्च षट् सप्त च क्रमेण प्राणा ज्ञातव्याः ।।१४१।।
અર્થઃ — બંને પ્રકારના અપર્યાપ્ત ( નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા
લબ્ધ્યપર્યાપ્તક) જે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય. ચાર ઇન્દ્રિય,
— અસંજ્ઞી તથા સંજ્ઞીપંચેન્દ્રિયોને ત્રણ, ચાર, પાંચ, છ, સાત એ પ્રમાણે
અનુક્રમે પ્રાણ હોય છે.
ભાવાર્થઃ — નિર્વૃત્ત્યપર્યાપ્ત તથા લબ્ધ્યપર્યાપ્ત એકેન્દ્રિયોને ત્રણ,
બે ઇન્દ્રિયને ચાર, ત્રણ ઇન્દ્રિયને પાંચ, ચાર ઇન્દ્રિયને છ તથા અસંજ્ઞી –
સંજ્ઞીપંચેન્દ્રિયને સાત એ પ્રમાણે પ્રાણ હોય છે.
હવે વિકલત્રયજીવોનું સ્થાન દર્શાવે છેઃ —
बितिचउरक्खा जीवा हवंति णियमेण कम्मभूमीसु ।
चरिमे दीवे अद्धे चरम-समुद्दे वि सव्वेसु ।।१४२।।
द्वित्रिचतुरक्षाः जीवाः भवन्ति नियमेन कर्मभूमिषु ।
चरमे द्वीपे अर्द्धे चरमसमुद्रे अपि सर्वेषु ।।१४२।।
અર્થઃ — બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય એ ત્રણ વિકલત્રય
કહેવાય છે. તે જીવો નિયમથી કર્મભૂમિમાં, અંતના અર્ધા દ્વીપમાં અને
અંતના આખા સમુદ્રમાં હોય છે, ભોગભૂમિમાં હોતા નથી.
ભાવાર્થઃ — પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ એ
કર્મભૂમિનાં ક્ષેત્રમાં તથા અંતના સ્વયંપ્રભદ્વીપની વચ્ચે સ્વયંપ્રભ પર્વત છે
તે પર્વતની પાછળના અર્ધા સ્વયંપ્રભદ્વીપમાં તથા અંતના સ્વયંભૂરમણ
નામના આખા સમુદ્રમાં આ વિકલત્રય જીવો છે, તેથી અન્ય જગ્યાએ
નથી.
૮૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા