લોકાનુપ્રેક્ષા ]
હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત્પર્વત માફક છે એમ કહે છેઃ —
અર્થઃ — મનુષ્યક્ષેત્રની બહાર – માનુષોત્તર પર્વતની પેલી બાજુથી અંતના સ્વયંપ્રભદ્વીપના અર્ધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
ભાવાર્થઃ — હેમવત્ક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
હવે જલચરજીવોનાં સ્થાન કહે છે.
અર્થઃ — લવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી-વ્યંતરનાં સ્થાન કહે છેઃ —