Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 143-145.

< Previous Page   Next Page >


Page 87 of 297
PDF/HTML Page 111 of 321

 

background image
હવે અઢી દ્વીપની બહાર તિર્યંચો છે તેની વ્યવસ્થા હેમવત્પર્વત
માફક છે એમ કહે છેઃ
माणुसखित्तस्स बहिं चरिमे दीवस्स अद्धयं जाव
सव्वत्थे वि तिरिच्छा हिमवदतिरिएहिं सारिच्छा ।।१४३।।
मनुष्यक्षेत्रस्य बहिः चरमे द्वीपस्य अर्द्धकं यावत्
सर्वत्र अपि तिर्यञ्चः हैमवततिर्यग्भिः सदृशाः ।।१४३।।
અર્થઃમનુષ્યક્ષેત્રની બહારમાનુષોત્તર પર્વતની પેલી બાજુથી
અંતના સ્વયંપ્રભદ્વીપના અર્ધા ભાગની આ બાજુ સુધીના વચ્ચેના સર્વ
દ્વીપસમુદ્રનાં તિર્યંચો છે તે હૈમવત્ક્ષેત્રના તિર્યંચો જેવા છે.
ભાવાર્થઃહેમવત્ક્ષેત્રમાં જઘન્યભોગભૂમિ છે. માનુષોત્તર
પર્વતથી આગળના અસંખ્યાત દ્વીપ-સમુદ્ર તથા અર્ધા સ્વયંપ્રભ નામના
છેલ્લા દ્વીપ સુધી સર્વ ઠેકાણે જઘન્યભોગભૂમિ જેવી રચના છે અને
ત્યાંના તિર્યંચોનાં આયુષ્ય-કાય હેમવત્ક્ષેત્રના તિર્યંચો જેવાં છે.
હવે જલચરજીવોનાં સ્થાન કહે છે.
लवणोए कालोए अंतिमजलहिम्मि जलयरा संति
सेससमुद्देसु पुणो ण जलयरा संति णियमेण ।।१४४।।
लवणोदके कालोदके अन्तिमजलधौ जलचराः सन्ति
शेषसमुद्रेषु पुनः न जलचराः सन्ति नियमेन ।।१४४।।
અર્થઃલવણોદધિ સમુદ્રમાં, કાલોદધિ સમુદ્રમાં તથા અંતના
સ્વયંભૂરમણ સમુદ્રમાં જલચરજીવો છે, બાકીના વચ્ચેના સમુદ્રોમાં
નિયમથી જલચરજીવો નથી.
હવે દેવનાં સ્થાન કહે છે. ત્યાં પ્રથમ ભવનવાસી-વ્યંતરનાં સ્થાન
કહે છેઃ
खरभायपंकभाए भावणदेवाण होंति भवणाणि
विंतरदेवाण तहा दुह्णं पि य तिरियलोए वि ।।१४५।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૮૭