Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 146-147.

< Previous Page   Next Page >


Page 88 of 297
PDF/HTML Page 112 of 321

 

background image
खरभागपङ्कभागयोः भावनदेवानां भवन्ति भवनानि
व्यन्तरदेवानां तथा द्वयोरमपि च तिर्यग्लोके अपि ।।१४५।।
અર્થઃખરભાગ અને પંકભાગમાં ભવનવાસીઓનાં ભવન તથા
વ્યંતરદેવોનાં નિવાસ છે. વળી એ બંનેનાં તિર્યગ્લોકમાં પણ નિવાસ છે.
ભાવાર્થઃએક લાખ એંશી હજાર યોજન જાડી પહેલી
રત્નપ્રભા પૃથ્વી છે; તેના ત્રણ ભાગમાં (પ્રથમના) સોળ હજાર
યોજનપ્રમાણ ખરભાગમાં અસુરકુમાર સિવાય બાકીના નવ
કુમારભવનવાસીઓનાં ભવન છે, તથા રાક્ષસકુલ વિના સાત કુલ
વ્યંતરોનાં નિવાસ છે; તથા બીજા ચોરાશી હજાર યોજનપ્રમાણ
પંકભાગમાં અસુરકુમાર ભવનવાસી તથા રાક્ષસકુલ વ્યંતરો વસે છે. વળી
તિર્યગ્લોક અર્થાત્ મધ્યલોક અસંખ્યાત દ્વીપ-સમુદ્રપ્રમાણ છે; તેમાં પણ
ભવનવાસીઓનાં ભવન અને વ્યંતરોનાં નિવાસ છે.
હવે જ્યોતિષી, કલ્પવાસી તથા નારકીઓનાં નિવાસ કહે છે
जोइसियाण विमाणा रज्जूमित्ते वि तिरियलोए वि
कप्पसुराः उड्ढम्हि य अहलोए होंति णेरइया ।।१४६।।
ज्योतिष्काणां विमानाः रज्जूमात्रे अपि तिर्यग्लोके अपि
कल्पसुराः ऊ र्ध्वं च अधोलोके भवन्ति नैरयिकाः ।।१४६।।
અર્થઃએક રાજુ પ્રમાણ તિર્યગ્લોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્ર છે
તેના ઉપર જ્યોતિષીદેવોનાં વિમાન બિરાજે છે; કલ્પવાસી ઊર્ધ્વલોકમાં
છે તથા નારકી અધોલોકમાં છે.
હવે જીવોની સંખ્યા કહે છે. ત્યાં પ્રથમ તેજ-વાયુકાયના જીવોની
સંખ્યા કહે છેઃ
बादरपज्जत्तिजुदा घणआवलिया-असंखभागा दु
किंचूणलोयमित्ता तेऊ वाऊ जहाकमसो ।।१४७।।
૮૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા