सिद्धाः सन्ति अनन्ताः सिद्धेभ्यः अनन्तगुणगुणिताः ।
भवन्ति निगोदाः जीवाः भागमनन्तं अभव्याः च ।।१५०।।
અર્થઃ — સિદ્ધજીવ અનંતા છે, સિદ્ધોથી અનંતગુણા નિગોદજીવ
છે તથા સિદ્ધોથી અનંતમા ભાગે અભવ્યજીવો છે.
सम्मुच्छिया हु मणुया सेढियसंखिज्जभागमित्ता हु ।
गब्भजमणुया सव्वे संखिज्जा होंति णियमेण ।।१५१।।
सम्मूर्च्छनाः स्फु टं मनुजाः श्रेणिअसंख्यातभागमात्राः स्फु टम् ।
गर्भजमनुजाः सर्वे संख्याताः भवन्ति नियमेन ।।१५१।।
અર્થઃ — સમ્મૂર્ચ્છનમનુષ્ય, જગતશ્રેણિના અસંખ્યાતમા ભાગમાત્ર
છે અને સર્વ ગર્ભજમનુષ્ય નિયમથી સંખ્યાતા જ છે.
હવે સાન્તર અને નિરન્તર (ના નિયમને) કહે છેઃ —
देवा वि णारया वि य लद्धियपुण्णा हु संतरा होंति ।
सम्मुछिया वि मणुया सेसा सव्वे णिरंतरया ।।१५२।।
देवाः अपि नारकाः अपि च लब्ध्यपर्याताः स्फु टं सान्तराः भवन्ति ।
सम्मूर्छनाः अपि मनुजाः शेषाः सर्वे निरन्तरकाः ।।१५२।।
અર્થઃ — દેવ, નારકી, લબ્ધ્યપર્યાપ્તક તથા સમ્મૂર્છનમનુષ્ય એટલા
તો સાન્તર એટલે અંતર સહિત છે, બાકીના સર્વ જીવો નિરંતર છે.
ભાવાર્થઃ — એક પર્યાયથી અન્ય પર્યાય પામે, વળી પાછા ફરીથી
તે ને તે જ પર્યાય પામે, એટલામાં વચ્ચે જે અન્તર રહે તેને સાન્તર
(અન્તર સહિત) કહેવામાં આવે છે. અહીં નાના જીવ અપેક્ષાએ અન્તર
કહ્યું છે, અર્થાત્ દેવ, નારકી, મનુષ્ય અને લબ્ધ્યપર્યાપ્તકજીવોની ઉત્પત્તિ
કોઈ કાળમાં ન થાય તેને પણ અંતર કહે છે. તથા અંતર ન પડે તેને
નિરંતર કહે છે. ત્યાં વૈક્રિયકમિશ્રકાયયોગી દેવ – નારકીનું તો બાર મુહૂર્તનું
અંતર કહ્યું છે, અર્થાત્ કોઈ ન ઊપજે તો બાર મુહૂર્ત સુધી જ ન
ઊપજે. વળી સમ્મૂર્ચ્છનમનુષ્ય કોઈ ન જ થાય તો પલ્યના અસંખ્યાતમા
૯૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા