Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 153-155.

< Previous Page   Next Page >


Page 91 of 297
PDF/HTML Page 115 of 321

 

background image
ભાગ કાળ સુધી જ ન થાય એ પ્રમાણે અન્ય ગ્રંથોમાં કહ્યું છે. બાકીના
સર્વ જીવ નિરંતર ઊપજે છે.
હવે જીવોની સંખ્યા દ્વારા અલ્પ-બહુત્વ કહે છેઃ
मणुयादो णेरइया णेरइयादो असंखगुणगुणिया
सव्वे हवंति देवा पत्तेयवणप्फ दी तत्तो ।।१५३।।
मनुजात् नैरयिकाः नैरयिकात् असंख्यातगुणगुणिताः
सर्वे भवन्ति देवाः प्रत्येकवनस्पतयः ततः ।।१५३।।
અર્થઃમનુષ્યોથી નારકી અસંખ્યાતગુણા છે, નારકીઓથી બધા
દેવ અસંખ્યાતગુણા છે અને દેવોથી પ્રત્યેકવનસ્પતિજીવ અસંખ્યાતગુણા
છે.
पंचक्खा चउरक्खा लद्धियपुण्णा तहेव तेयक्खा
वेयक्खा वि य कमसो विसेससहिदा हु सव्वसंखाए ।।१५४।।
पञ्चाक्षाः चतुरक्षाः लब्ध्यपर्याप्ताः तथैव त्र्यक्षाः
द्वयक्षाः अपि च क्रमशः विशेषसहिताः स्फु टं सर्वसंख्यया ।।१५४।।
અર્થઃપંચેન્દ્રિયથી ચતુરિન્દ્રિય, ચતુરિન્દ્રિયથી ત્રીન્દ્રિય અને
ત્રીન્દ્રિયથી બેઇન્દ્રિયએ લબ્ધ્યપર્યાપ્તકજીવ સંસંખ્યા દ્વારા અનુક્રમે
વિશેષ અધિક છે. કંઈક અધિકને વિશેષાધિક કહે છે.
चउरक्खा पंचक्खा वेयक्खा तह य जाण तेयक्खा
एदे पज्जत्तिजुदा अहिया अहिया कमेणेव ।।१५५।।
चतुरक्षाः पंञ्चाक्षाः द्वयक्षाः तथा च जानीहि त्र्यक्षाः
एते पर्याप्तियुताः अधिकाः अधिकाः क्रमेण एव ।।१५५।।
અર્થઃચતુન્દ્રિય, પંચેન્દ્રિય, બે ઇન્દ્રિય તેવી જ રીતે ત્રણ
ઇન્દ્રિયએ પર્યાપ્તિ સહિત જીવો અનુક્રમથી અધિક અધિક છે એમ
જાણો.
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૧