Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 160-162.

< Previous Page   Next Page >


Page 93 of 297
PDF/HTML Page 117 of 321

 

background image
सप्तमनारकेभ्यः असंख्यगुणिताः भवन्ति नैरयिकाः
यावच्च प्रथमं नरकं बहुदुःखा भवन्ति अधोऽधः ।।१५९।।
અર્થઃસાતમા નરકથી ઉપર ઉપર પહેલા નરક સુધી જીવ
અસંખ્યાત અસંખ્યાતગુણા છે અને પ્રથમ નરકથી માંડી નીચે નીચેના
નરકમાં ઘણું દુઃખ છે.
कप्पसुरा भावणया विंतरदेवा तहेव जोइसिया
बे होंति असंखगुणा संखगुणा होंति जोइसिया ।।१६०।।
कल्पसुराः भावनकाः व्यन्तरदेवाः तथैव ज्योतिष्काः
द्वौ भवतः असंख्यगुणौ संख्यातगुणाः भवन्ति ज्योतिष्काः ।।१६०।।
અર્થઃકલ્પવાસી દેવોથી ભવનવાસી દેવ અને વ્યંતર દેવ એ
બંને રાશિ તો અસંખ્યાતગુણા છે તથા જ્યોતિષી દેવ વ્યંતર દેવોથી
સંખ્યાતગુણા છે.
હવે એકેન્દ્રિયાદિ જીવોનાં ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ ગાથામાં કહે
છેઃ
पत्तेयाणं आऊ वाससहस्साणि दह हवे परमं
अंतोमुहुत्तमाऊ साहारणसव्वसुहुमाणं ।।१६१।।
प्रत्येकानां आयुः वर्षसहस्राणि दश भवेत् परमम्
अन्तर्मुहूर्त्तं आयुः साधारणसर्वसूक्ष्माणाम् ।।१६१।।
અર્થઃપ્રત્યેક વનસ્પતિનું ઉત્કૃષ્ટ આયુ દસ હજાર વર્ષનું છે
તથા સાધારણ સૂક્ષ્મ-બાદર, નિત્ય-ઇતરનિગોદ અને બધાય સૂક્ષ્મ પૃથ્વી
-અપ-તેજ-વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ અંતર્મુહૂર્તનું છે.
હવે બાદર જીવોનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ
बावीससत्तसहसा पुढवीतोयाण आउसं होदि
अग्गीणं तिण्णि दिणा तिण्णि सहस्साणि वाऊणं ।।१६२।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૩