Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 163-164.

< Previous Page   Next Page >


Page 94 of 297
PDF/HTML Page 118 of 321

 

background image
द्वाविंशतिसप्तसहस्राणि पृथ्वीतोयानां आयुष्कं भवति
अग्नीनां त्रीणि दिनानि त्रीणि सहस्राणि वायूनाम् ।।१६२।।
અર્થઃપૃથ્વીકાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વર્ષનું
છે, અપ્કાયિક જીવોનું ઉત્કૃષ્ટ આયુ સાત હજાર વર્ષનું છે, અગ્નિકાયિક
જીવોનું ઉત્કૃષ્ટ આયુ ત્રણ દિવસનું છે તથા વાયુકાયિક જીવોનું ઉત્કૃષ્ટ
આયુ ત્રણ હજાર વર્ષનું છે.
હવે બે ઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ આયુ કહે છેઃ
बारसवास वियक्खे एगुणवण्णा दिणाणि तेयक्खे
चउरक्खे छम्मासा पंचक्खे तिण्णि पल्लाणि ।।१६३।।
द्वादशवर्षाणि द्वयक्षे एकोनपंचाशत् दिनानि त्र्यक्षे
चतुरक्षे षण्मासाः पंचाक्षे त्रीणि पल्यानि ।।१६३।।
અર્થઃબે ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે, ત્રણ
ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ ઓગણપચાસ (૪૯) દિવસનું છે, ચાર
ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુ છ મહિનાનું છે તથા પંચેન્દ્રિય જીવોનું
ઉત્કૃષ્ટ આયુ ભોગભૂમિની અપેક્ષાએ ત્રણ પલ્યનું છે.
હવે બધાંય તિર્યંચ અને મનુષ્યોનું જઘન્ય આયુ કહે છેઃ
सव्वजहण्णं आऊ लद्धियपुण्णाण सव्वजीवाणं
मज्झिमहीणमुहुत्तं पज्जतिजुदाण णिक्किट्ठं ।।१६४।।
सर्वजघन्यं आयुः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम्
मध्यमहीनमुहूर्तं पर्याप्तियुतानां निःकृष्टम् ।।१६४।।
અર્થઃલબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનું જઘન્ય આયુ મધ્યમ
હીનમુહૂર્ત છે અને તે ક્ષુદ્રભવમાત્ર જાણવું અર્થાત્ એક ઉચ્છ્વાસના
અઢારમાં ભાગમાત્ર છે વળી એકેન્દ્રિયાદિથી માંડીને કર્મભૂમિનાં તિર્યંચ-
મનુષ્ય એ બધાય પર્યાપ્ત જીવોનું જઘન્ય આયુ પણ મધ્યમ હીનમુહૂર્ત
છે અને તે પહેલાનાથી મોટું મધ્યમ અંતર્મુહૂર્ત છે.
૯૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા