હવે દેવ-નારકીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃ —
देवाण णारयाणं सायरसंखा हवंति तेत्तीसा ।
उक्किट्ठं च जहण्णं वासाणं दस सहस्साणि ।।१६५।।
देवानां नारकाणां सागरसंख्या भवन्ति त्रयस्त्रिंशत् ।
उत्कृष्टं च जघन्यं वर्षाणां दशसस्राणि ।।१६५।।
અર્થઃ — દેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું
છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થઃ — આ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે.
વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રંથોમાંથી જાણવું.
હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના
દસ ગાથામાં કહે છેઃ —
अंगुलअसंखभागो एयक्खचउक्कदेहपरिमाणं ।
जोयणसहस्समहियं पउमं उक्कस्सयं जाण ।।१६६।।
अङ्गुलासंख्यातभागः एकांक्षचतुष्तकदेहपरिमाणम् ।
योजनसहस्रं अधिकं पद्मं उत्कृष्टकं जानीहि ।।१६६।।
અર્થઃ — એકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના
જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ
છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો
પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ
શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ
યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ
અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર
યોજન છે.
बारसजोयण संखो कोसतियं गोब्भिया समुद्दिट्ठा ।
भमरो जोयणमेगं सहस्स सम्मुच्छिमो मच्छो ।।१६७।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૫