Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 165-167.

< Previous Page   Next Page >


Page 95 of 297
PDF/HTML Page 119 of 321

 

background image
હવે દેવ-નારકીઓનું ઉત્કૃષ્ટ તેમ જ જઘન્ય આયુ કહે છેઃ
देवाण णारयाणं सायरसंखा हवंति तेत्तीसा
उक्किट्ठं च जहण्णं वासाणं दस सहस्साणि ।।१६५।।
देवानां नारकाणां सागरसंख्या भवन्ति त्रयस्त्रिंशत्
उत्कृष्टं च जघन्यं वर्षाणां दशसस्राणि ।।१६५।।
અર્થઃદેવોનું તથા નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરનું
છે તથા તેમનું જઘન્ય આયુ દસ હજાર વર્ષનું છે.
ભાવાર્થઃઆ (આયુ) સામાન્ય દેવોની અપેક્ષાએ કહ્યું છે.
વિશેષ ત્રિલોકસાર આદિ ગ્રંથોમાંથી જાણવું.
હવે એકેન્દ્રિય આદિ જીવોનાં શરીરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના
દસ ગાથામાં કહે છેઃ
अंगुलअसंखभागो एयक्खचउक्कदेहपरिमाणं
जोयणसहस्समहियं पउमं उक्कस्सयं जाण ।।१६६।।
अङ्गुलासंख्यातभागः एकांक्षचतुष्तकदेहपरिमाणम्
योजनसहस्रं अधिकं पद्मं उत्कृष्टकं जानीहि ।।१६६।।
અર્થઃએકેન્દ્રિયચતુષ્ક અર્થાત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયના
જીવોની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ
છે, ત્યાં સૂક્ષ્મ અને બાદર પર્યાપ્ત-અપર્યાપ્તનું શરીર નાનું-મોટું છે તો
પણ ઘનઅંગુલના અસંખ્યાતમાં ભાગ જ સામાન્યપણે કહ્યું છે. વિશેષ
શ્રી ગોમ્મટસારમાંથી જાણવું. વળી અંગુલનું (માપ) ઉત્સેધ અંગુલ-આઠ
યવપ્રમાણ લેવું પણ પ્રમાણઅંગુલ ન લેવું. પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ
અવગાહનાયુક્ત કમળ છે. તેની અવગાહના કંઈક અધિક એક હજાર
યોજન છે.
बारसजोयण संखो कोसतियं गोब्भिया समुद्दिट्ठा
भमरो जोयणमेगं सहस्स सम्मुच्छिमो मच्छो ।।१६७।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૯૫