Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 168-169.

< Previous Page   Next Page >


Page 96 of 297
PDF/HTML Page 120 of 321

 

background image
द्वादशयोजनायामः संखः क्रोशत्रिकं ग्रैष्मिका समुद्दिष्टा
भ्रमरः योजनं एकं सहस्रं सम्मूर्च्छिमः मत्स्यः ।।१६७।।
અર્થઃબે ઇન્દ્રિયમાં શંખ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના
બાર યોજન લાંબી છે; ત્રણ ઇન્દ્રિયમાં ગોભિકા અથાત્ કાનખજૂરો મોટો
છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ કોશ લાંબી છે; ચાર ઇન્દ્રિયમાં ભ્રમર
મોટો છે. તેની ઉત્કૃષ્ટ અવગાહના એક યોજન લાંબી છે; તથા પંચેન્દ્રિયમાં
સંમૂર્ચ્છન મચ્છ મોટો છે, તેની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન લાંબી
છે. આ જીવો છેલ્લા સ્વયંભૂરમણ દ્વીપ તથા સમુદ્રમાં જાણવા.
હવે નારકીના ઉત્કૃષ્ટ અવગાહના કહે છેઃ
पंचसयाधणुछेहा सत्तमणरए हवंति णारइया
तत्तो उस्सेहेण य अद्धद्धा होंति उवरुवरिं ।।१६८।।
पश्चशतधनूत्सेधाः सप्तमनरके भवन्ति नारकाः
ततः उत्सेधेन च अर्धार्धाः भवन्ति उपर्युपरि ।।१६८।।
અર્થઃસાતમા નરકમાં નારકીજીવનો દેહ પાંચસો ધનુષ ઊંચો
છે; તેના ઉપર દેહની ઊંચાઈ અડધી અડધી છે અર્થાત્ છઠ્ઠામાં બસો
પચાસ ધનુષ, પાંચમામાં એકસો પચ્ચીસ ધનુષ, ચોથામાં સાડાબાસઠ
ધનુષ, ત્રીજામાં સવાએકત્રીસ ધનુષ, બીજામાં પંદર ધનુષ દશા આની,
અને પહેલામાં સાત ધનુષ તેર આની
એ પ્રમાણે જાણવું. તેમાં
ઓગણપચાસ પટલ છે અને તે બધાંમાં જુદી જુદી વિશેષ અવગાહના
શ્રી ત્રિલોકસારમાંથી જાણવી.
હવે દેવોની અવગાહના કહે છેઃ
असुराणं पणवीसं सेसं णवभावणा य दहदंडं
विंतरदेवाण तहा जोइसिया सत्तधणुदेहा ।।१६९।।
असुराणां पश्चविंशतिः शेषाः नवभावनाश्च दशदण्डाः
व्यन्तरदेवानां तथा ज्योतिष्काः सप्तधनुर्देहाः ।।१६९।।
૯૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા