લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — ભવનવાસીઓમાં અસુરકુમારોના દેહની ઊંચાઈ પચ્ચીસ ધનુષ અને તેના બાકીના નવે કુમારદેવોની દસ ધનુષ, વ્યંતરોના દેહની ઉંચાઈ દસ ધનુષ તથા જ્યોતિષી દેવોના દેહની ઉંચાઈ સાત ધનુષ છે
હવે સ્વર્ગના દેવોના દેહની ઉંચાઈ કહે છેઃ —
અર્થઃ — સૌધર્મ – ઐશાન યુગલના દેવોનો દેહ સાત હાથ ઊંચો છે, સનત્કુમાર-માહેન્દ્રયુગલના દેવોનો દેહ છ હાથ ઊંચો છે, બ્રહ્મ -બ્રહ્મોત્તર-લાવન્ત-કાપિષ્ટ એ ચાર સ્વર્ગના દેવોનો દેહ પાંચ હાથ ઊંચો છે, શુક્ર-મહાશુક્ર-સતાર-સહસ્રાર એ ચાર સ્વર્ગના દેવોનો દેહ ચાર હાથ ઊંચો છે, આનત-પ્રાણતયુગલના દેવોનો દેહ સાડાત્રણ હાથ ઊંચો છે, આરણ-અચ્યુતયુગલના દેવોનો દેહ ત્રણ હાથ ઊંચો છે, અધો ગ્રૈવેયકના દેવોનો દેહ અઢી હાથ ઊંચો છે, મધ્યમ ગ્રૈવેયકના દેવોનો દેહ બે હાથ ઊંચો છે, ઉપરના ગ્રૈવેયકના દેવોનો દેહ દોઢ હાથ ઊંચો છે તથા નવ અનુદિશ અને પંચ અનુત્તરના દેવોનો દેહ એક હાથ ઊંચો છે.
હવે ભરત-ઐરાવતક્ષેત્રમાં કાળની અપેક્ષાએ મનુષ્યોના શરીરની ઊંચાઈ કહે છેઃ —