अवसर्प्पिण्याः प्रथमे काले मनुजाः त्रिकोशोत्सेधाः ।
षष्ठस्य अपि अवसाने हस्तप्रमाणाः विवस्त्राः च ।।१७२।।
અર્થઃ — અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યોનો દેહ ત્રણ કોશ
ઊંચો છે તથા છઠ્ઠા કાળના અંતમાં મનુષ્યોનો દેહ એક હાથ ઊંચો છે.
વળી છઠ્ઠા કાળના મનુષ્યો વસ્ત્રાદિથી રહિત હોય છે.
હવે એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છેઃ —
सव्वजहण्णो देहो लद्धियपुण्णाण सव्वजीवाणं ।
अंगुलअसंखभागो अणेयभेओ हवे सो वि ।।१७३।।
सर्वजघन्यः देहः लब्ध्यपर्याप्तानां सर्वजीवानाम् ।
अङ्गुलाऽसंख्यातभागः अनेकभेदः भवेत् सः अपि ।।१७३।।
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનો દેહ ઘનઅંગુલના
અસંખ્યાતમા ભાગ છે અને તે સર્વ જઘન્ય છે તથા તેમાં પણ અનેક
ભેદ છે.
ભાવાર્થઃ — એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ પણ નાનો – મોટો હોય
છે અને તે ઘનાંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અનેક ભેદ છે.
ગોમ્મટસારમાં અવગાહનાના ચોસઠ ભેદોનું વર્ણન છે, ત્યાંથી તે જાણવું.
હવે બે ઇન્દ્રિય આદિની જઘન્ય અવગાહના કહે છેઃ —
बितिचउपंचक्खाणं जहण्णदेहो हवेइ पुण्णाणं ।
अंगुलअसंखभागो संखगुणो सो वि उवरुवरिं ।।१७४।।
द्वित्रिचतुःपञ्चाक्षाणां जघन्यदेहः भवति पर्याप्तानाम् ।
अंङ्गुलाऽसंख्यातभागः संख्यातगुणः सः अपि उपर्युपरि ।।१७४।।
અર્થઃ — બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય
પર્યાપ્ત જીવોનો જઘન્યદેહ ઘનાંગુલના અસંખ્યાતમા ભાગે છે અને તે
પણ ઉપર ઉપર સંખ્યાત ગણો છે.
૯૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા