૯૮ ]
અર્થઃ — અવસર્પિણીના પહેલા કાળમાં મનુષ્યોનો દેહ ત્રણ કોશ ઊંચો છે તથા છઠ્ઠા કાળના અંતમાં મનુષ્યોનો દેહ એક હાથ ઊંચો છે. વળી છઠ્ઠા કાળના મનુષ્યો વસ્ત્રાદિથી રહિત હોય છે.
હવે એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ કહે છેઃ —
અર્થઃ — લબ્ધ્યપર્યાપ્તક સર્વ જીવોનો દેહ ઘનઅંગુલના અસંખ્યાતમા ભાગ છે અને તે સર્વ જઘન્ય છે તથા તેમાં પણ અનેક ભેદ છે.
ભાવાર્થઃ — એકેન્દ્રિય જીવોનો જઘન્ય દેહ પણ નાનો – મોટો હોય છે અને તે ઘનાંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અનેક ભેદ છે. ગોમ્મટસારમાં અવગાહનાના ચોસઠ ભેદોનું વર્ણન છે, ત્યાંથી તે જાણવું.
હવે બે ઇન્દ્રિય આદિની જઘન્ય અવગાહના કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોનો જઘન્યદેહ ઘનાંગુલના અસંખ્યાતમા ભાગે છે અને તે પણ ઉપર ઉપર સંખ્યાત ગણો છે.