લોકાનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — બે ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ત્રણ ઇન્દ્રિયનો દેહ છે, ત્રણ ઇન્દ્રિયના દેહથી સંખ્યાતગણો ચાર ઇન્દ્રિયનો દેહ છે અને તેનાથી સંખ્યાતગણો પંચેન્દ્રિયનો દેહ છે.
હવે જઘન્ય અવગાહનાના ધારક બે ઇન્દ્રિયાદિ જીવ કોણ કોણ છે તે કહે છેઃ —
અર્થઃ — બે ઇન્દ્રિય તો અણુદ્ધરીજીવ, ત્રણ ઇન્દ્રિયમાં કુંથુજીવ, ચાર ઇન્દ્રિયમાં કાણ-મક્ષિકા અને પંચેન્દ્રિયમાં શાલીસિક્થ નામનો મચ્છ — એ ત્રસપર્યાપ્ત જીવોનો જઘન્ય દેહ કહ્યો છે.
હવે જીવનું લોકપ્રમાણપણું અને દેહપ્રમાણપણું કહે છેઃ —
અર્થઃ — જીવ લોકપ્રમાણ છે. વળી દેહપ્રમાણ પણ છે; કારણ કે તેમાં સંકોચ-વિસ્તારધર્મ હોવાથી એવી અવગાહનશક્તિ તેમાં છે.
ભાવાર્થઃ — લોકાકાશના અસંખ્યાતપ્રદેશ છે તેથી જીવના પણ તેટલા જ પ્રદેશ છે. કેવલસમુદ્ઘાત કરે તે વેળા તે લોકપૂરણ થાય છે. વળી સંકોચ-વિસ્તારશક્તિ તેમાં છે તેથી જેવો દેહ પામે તેટલા જ પ્રમાણ તે રહે છે અને સમુદ્ઘાત કરે ત્યારે તેના પ્રદેશ દેહથી બહાર પણ નીકળે છે.