Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 177-178.

< Previous Page   Next Page >


Page 100 of 297
PDF/HTML Page 124 of 321

 

background image
હવે કોઈ અન્યમતી જીવને સર્વથા સર્વગત જ કહે છે તેનો નિષેધ
કરે છેઃ
सव्वगओ जदि जीवो सव्वत्थ वि दुक्खसुक्खसंपत्ती
जाइज्ज ण सा दिट्ठी णियतणुमाणो तदो जीवो ।।१७७।।
सर्वगतः यदि जीवः सर्वत्र अपि दुःखसुखसम्प्राप्तिः
जायते न सा दृष्टिः निजतनुमानः ततः जीवः ।।१७७।।
અર્થઃજો જીવ સર્વગત જ હોય તો સર્વ ક્ષેત્રસંબંધી સુખ
-દુઃખની પ્રાપ્તિ તેને જ હોય પણ એમ જોવામાં આવતું નથી. પોતાના
શરીરમાં જ સુખ-દુઃખની પ્રાપ્તિ જોઈએ છીએ, તેથી પોતાના
શરીરપ્રમાણ જ જીવ છે.
जीवो णाणसहावो जह अग्गी उण्हओ सहावेण
अत्थंतरभूदेण हि णाणेण ण सो हवे णाणी ।।१७८।।
जीवः ज्ञानस्वभावः यथा अग्निः उष्णः स्वभावेन
अर्थान्तरभूतेन हि ज्ञानेन न सः भवेत् ज्ञानी ।।१७८।।
અર્થઃજેમ અગ્નિ સ્વભાવથી જ ઉષ્ણ છે તેમ જીવ છે તે
જ્ઞાનસ્વભાવ છે; તેથી અર્થાન્તરભૂત એટલે પોતાથી જુદા પ્રદેશરૂપ
જ્ઞાનથી જ્ઞાની નથી.
ભાવાર્થઃનૈયાયિક આદિ છે તેઓ જીવનો અને જ્ઞાનનો
પ્રદેશભેદ માની કહે છે કે ‘‘આત્માથી જ્ઞાન ભિન્ન છે અને તે સમવાય
તથા સંસર્ગથી એક થયું છે તેથી તેને જ્ઞાની કહીએ છીએ; જેમ ધનથી
ધનવાન કહીએ છીએ તેમ.’’ પણ આમ માનવું તે અસત્ય છે. આત્મા
અને જ્ઞાનને, અગ્નિ અને ઉષ્ણતામાં જેવો અભેદભાવ છે તેવો,
તાદાત્મ્યભાવ છે.
હવે (ગુણ-ગુણીને) ભિન્ન માનવામાં દૂષણ દર્શાવે છેઃ
૧૦૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા