जदि जीवादो भिण्णं सव्वपयारेण हवदि ते णाणं ।
गुणगुणिभावो य तदा दूरेण पणस्सदे दुण्हं ।।१७९।।
यदि जीवतः भिन्नं सर्वप्रकारेण भवति तत् ज्ञानं ।
गुणगुणिभावः च तदा दूरेण प्रणश्यते द्वयोः ।।१७९।।
અર્થઃ — જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે
બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ
જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.
હવે કોઈ પૂછે કે ‘ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ
કહેવાય?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ —
जीवस्स वि णाणस्स वि गुणगुणिभावेण कीरए भेओ ।
जं जाणदि तं णाणं एवं भेओ कहं होदि ।।१८०।।
जीवस्य अपि ज्ञानस्य अपि गुणगुणिभावेन क्रियते भेदः ।
यत् जानाति तत् ज्ञानं एवं भेदः कथं भवति ।।१८०।।
અર્થઃ — જીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કથંચિત્ ભેદ
કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન
છે’ એવો ભેદ કેમ હોય?
ભાવાર્થઃ — જો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે’ એવો
અભેદ કેમ કહેવાય? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે
છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણ-ગુણીમાં
સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ
(પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.
હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને
નિષેધે છેઃ —
णाणं भूयबियारं जो मण्णदि सो वि भूदगहिदव्वो ।
जीवेण विणा णाणं किं केणवि दीसदे कत्थ ? ।।१८१।।
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૧