Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 179-181.

< Previous Page   Next Page >


Page 101 of 297
PDF/HTML Page 125 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૦૧
जदि जीवादो भिण्णं सव्वपयारेण हवदि ते णाणं
गुणगुणिभावो य तदा दूरेण पणस्सदे दुण्हं ।।१७९।।
यदि जीवतः भिन्नं सर्वप्रकारेण भवति तत् ज्ञानं
गुणगुणिभावः च तदा दूरेण प्रणश्यते द्वयोः ।।१७९।।

અર્થઃજો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.

હવે કોઈ પૂછે કે ‘ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ

जीवस्स वि णाणस्स वि गुणगुणिभावेण कीरए भेओ
जं जाणदि तं णाणं एवं भेओ कहं होदि ।।१८०।।
जीवस्य अपि ज्ञानस्य अपि गुणगुणिभावेन क्रियते भेदः
यत् जानाति तत् ज्ञानं एवं भेदः कथं भवति ।।१८०।।

અર્થઃજીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કથંચિત્ ભેદ કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે’ એવો ભેદ કેમ હોય?

ભાવાર્થઃજો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે’ એવો અભેદ કેમ કહેવાય? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણ-ગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ (પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.

હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને નિષેધે છેઃ

णाणं भूयबियारं जो मण्णदि सो वि भूदगहिदव्वो
जीवेण विणा णाणं किं केणवि दीसदे कत्थ ? ।।१८१।।