લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જો જીવથી જ્ઞાન સર્વથા ભિન્ન જ માનીએ તો તે બંનેમાં ગુણગુણીભાવ દૂરથી જ (અત્યંત) નાશ પામે, અર્થાત્ આ જીવદ્રવ્ય (ગુણી) છે અને જ્ઞાન તેનો ગુણ છે એવો ભાવ ઠરશે નહિ.
હવે કોઈ પૂછે કે ‘ગુણ અને ગુણીના ભેદ વિના બે નામ કેમ કહેવાય?’ તેનું સમાધાન કરવામાં આવે છેઃ —
અર્થઃ — જીવ અને જ્ઞાનમાં ગુણગુણીભાવથી કથંચિત્ ભેદ કરવામાં આવે છે. જો એમ ન હોય તો ‘જે જાણે તે જ આત્માનું જ્ઞાન છે’ એવો ભેદ કેમ હોય?
ભાવાર્થઃ — જો સર્વથા ભેદ હોય તો ‘જાણે તે જ્ઞાન છે’ એવો અભેદ કેમ કહેવાય? માટે કથંચિત્ ગુણગુણીભાવથી ભેદ કહેવામાં આવે છે પરંતુ તેમાં પ્રદેશભેદ નથી. એ પ્રમાણે કોઈ અન્યમતી ગુણ-ગુણીમાં સર્વથા ભેદ માની જીવ અને જ્ઞાનને સર્વથા અર્થાન્તરભેદ (પદાર્થભિન્નતારૂપ ભેદ) માને છે તેના મતને નિષેધ્યો.
હવે, ચાર્વાકમતી જ્ઞાનને પૃથ્વી આદિનો વિકાર માને છે તેને નિષેધે છેઃ —