ज्ञानं भूतविकारं यः मन्यते सः अपि भूतगृहीतव्यः ।
जीवेन विना ज्ञानं किं केनापि दृश्यते कुत्र ? ।।१८१।।
અર્થઃ — જ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે
ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છે – ઘેલો છે; કારણ કે જીવ
વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ
જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છેઃ —
सच्चेयणपच्चक्खं जो जीवं णेव मण्णदे मूढो ।
सो जीवं ण मुणंतो जीवाभावं कहं कुणदि ।।१८२।।
सच्चेतनप्रत्यक्षं यः जीवं नैव मन्यते मूढः ।
सः जीवं न जानन् जीवाभावं कथं करोति ।।१८२।।
અર્થઃ — આ જીવ, સત્રૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન
પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો
જીવને જાણતો – માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થઃ — જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ
કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદ્ભાવ
વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છેઃ —
जदि ण य हवेदि जीओ तो को वेदेदि सुक्खदुक्खाणि ।
इंदियविसया सव्वे को वा जाणदि विसेसेण ।।१८३।।
यदि न च भवति जीवः तत् कः वेत्ति सुखदुःखानि ।
इन्द्रियविषयान् सर्वान् कः वा जानाति विशेषेण ।।१८३।।
અર્થઃ — જો જીવ ન હોય તો પોતાને થતાં સુખ-દુઃખને કોણ જાણે?
તથા ઇન્દ્રિયોના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે?
૧૦૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા