Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 182-183.

< Previous Page   Next Page >


Page 102 of 297
PDF/HTML Page 126 of 321

 

background image
ज्ञानं भूतविकारं यः मन्यते सः अपि भूतगृहीतव्यः
जीवेन विना ज्ञानं किं केनापि दृश्यते कुत्र ? ।।१८१।।
અર્થઃજ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે
ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છેઘેલો છે; કારણ કે જીવ
વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ
જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છેઃ
सच्चेयणपच्चक्खं जो जीवं णेव मण्णदे मूढो
सो जीवं ण मुणंतो जीवाभावं कहं कुणदि ।।१८२।।
सच्चेतनप्रत्यक्षं यः जीवं नैव मन्यते मूढः
सः जीवं न जानन् जीवाभावं कथं करोति ।।१८२।।
અર્થઃઆ જીવ, સત્રૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન
પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો
જીવને જાણતો
માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થઃજે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ
કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદ્ભાવ
વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છેઃ
जदि ण य हवेदि जीओ तो को वेदेदि सुक्खदुक्खाणि
इंदियविसया सव्वे को वा जाणदि विसेसेण ।।१८३।।
यदि न च भवति जीवः तत् कः वेत्ति सुखदुःखानि
इन्द्रियविषयान् सर्वान् कः वा जानाति विशेषेण ।।१८३।।
અર્થઃજો જીવ ન હોય તો પોતાને થતાં સુખ-દુઃખને કોણ જાણે?
તથા ઇન્દ્રિયોના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે?
૧૦૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા