૧૦૨ ]
અર્થઃ — જ્ઞાનને પૃથ્વી આદિ પાંચ ભૂતોનો વિકાર માને છે તે ચાર્વાક ભૂતથી અર્થાત્ પિશાચથી ગ્રહાયો છે – ઘેલો છે; કારણ કે જીવ વિના જ્ઞાન ક્યાંય કોઈને કોઈ ઠેકાણે જોવામાં આવે છે? ક્યાંય પણ જોવામાં આવતું નથી.
હવે, એમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — આ જીવ, સત્રૂપ અને ચૈતન્યરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષપ્રમાણથી પ્રસિદ્ધ છે તેને ચાર્વાક માનતો નથી, પણ તે મૂર્ખ છે. જો જીવને જાણતો – માનતો નથી તો તે જીવનો અભાવ કેવી રીતે કરે છે?
ભાવાર્થઃ — જે જીવને જાણતો જ નથી તે તેનો અભાવ પણ કહી શકે નહીં. અભાવને કહેવાવાળો પણ જીવ છે, કેમ કે સદ્ભાવ વિના અભાવ પણ કહ્યો જાય નહિ.
હવે તેને જ યુક્તિપૂર્વક જીવનો સદ્ભાવ દર્શાવે છેઃ —
અર્થઃ — જો જીવ ન હોય તો પોતાને થતાં સુખ-દુઃખને કોણ જાણે? તથા ઇન્દ્રિયોના સ્પર્શાદિક વિષયો છે તે બધાને વિશેષતાથી કોણ જાણે?