Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 186-187.

< Previous Page   Next Page >


Page 104 of 297
PDF/HTML Page 128 of 321

 

background image
હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છેઃ
देहमिलिदो वि पिच्छदि देहमिलिदो वि णिसुण्णदे सद्दं
देहमिलिदो वि भुंजदि देहमिलिदो वि गच्छेदि ।।१८६।।
देहमिलितः अपि पश्यति देहमिलितः अपि निशृणोति शब्दम्
देहमिलितः अपि भुंक्ते देहमिलितः अपि गच्छति ।।१८६।।
અર્થઃજીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે,
દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો
જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેહથી મળ્યો થકો જ
પગથી ગમન કરે છે.
ભાવાર્થઃદેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને
જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન
હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દેહથી) જુદો જીવ છે અને
તે જ આ ક્રિયાઓ કરે છે.
હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો
તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ
राओ हं भिच्चो हं सिठ्ठी हुं चेव दुब्बलो बलिओ
इदि एयत्ताविट्ठो दोह्णं भेयं ण बुज्झेदि ।।१८७।।
राजा अहं भृत्यः अहं श्रेष्ठी अहं चैव दुर्बलः बली
इति एकत्वाविष्टः द्वयोः भेदं न बुध्यति ।।१८७।।
અર્થઃદેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે
તે આ પ્રમાણે માને છે કેહું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું,
હું દરિદ્ર છું, હું દુર્બળ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા
દેહ અને જીવ બંનેના તફાવતને જાણતા નથી.
હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેઃ
૧૦૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા