૧૦૪ ]
અર્થઃ — જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે, દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેહથી મળ્યો થકો જ પગથી ગમન કરે છે.
ભાવાર્થઃ — દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઇત્યાદિ ક્રિયા ન હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દેહથી) જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે.
હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ —
અર્થઃ — દેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે તે આ પ્રમાણે માને છે કે — હું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું, હું દરિદ્ર છું, હું દુર્બળ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા દેહ અને જીવ બંનેના તફાવતને જાણતા નથી.
હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેઃ —