લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — આ જીવ સર્વ કર્મ નોકર્મને કરતો થકો તેને પોતાનું કર્તવ્ય માને છે માટે તે કર્તા છે, અને તે પોતાને સંસારરૂપ કરે છે; વળી કાળાદિ લબ્ધિથી યુક્ત થતો થકો પોતાને મોક્ષરૂપ પણ પોતે જ કરે છે.
ભાવાર્થઃ — કોઈ જાણે કે આ જીવનાં સુખ-દુઃખ આદિ કાર્યોને ઇશ્વર આદિ અન્ય કરે છે પણ એમ નથી. પોતે જ કર્તા છે – સર્વ કાર્યો પોતે જ કરે છે, સંસાર પણ પોતે જ કરે છે, તથા કાળલબ્ધિ આવતાં મોક્ષ પણ પોતે જ કરે છે, અને એ બધાં કાર્યો પ્રત્યે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવરૂપ સામગ્રી નિમિત્ત છે જ.
અર્થઃ — કારણ કે જીવ કર્મનું ફળ આ સંસારમાં ભોગવે છે માટે ભોક્તા પણ તે જ છે; વળી સંસારમાં સુખ-દુઃખરૂપ અનેક પ્રકારના કર્મના વિપાકોને પણ તે જ ભોગવે છે.
અર્થઃ — આ જીવ, અતિ તીવ્ર કષાયયુક્ત થાય ત્યારે તે પોતે