Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 192-193.

< Previous Page   Next Page >


Page 107 of 297
PDF/HTML Page 131 of 321

 

background image
ભાવાર્થઃજે તરે તે તીર્થ વા જેનાથી તરીએ તે તીર્થ છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનાવ (નૌકા) વડે આ જીવ તરે છે
તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે, તેથી આ જીવ જ તીર્થ છે.
હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છેઃ
जीवा हवंति तिविहा बहिरप्पा तह य अंतरप्पा य
परमप्पा वि य दुविहा अरहंता तह य सिद्धा य ।।१९२।।
जीवाः भवन्ति त्रिविधाः बहिरात्मा तथा च अन्तरात्मा च
परमात्मानः अपि च द्विविधाः अर्हतः तथा च सिद्धाः च ।।१९२।।
અર્થઃબહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ
પ્રકારના જીવો છે; વળી પરમાત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ બે
પ્રકારથી છે.
હવે તેમનું સ્વરૂપ કહે છે. ત્યાં બહિરાત્મા કેવા છે તે કહે
છેઃ
मिच्छत्तपरिणदप्पा तिव्वकसाएण सुट्ठु आविट्ठो
जीवं देहं एक्कं मण्णंतो होदि बहिरप्पा ।।१९३।।
मिथ्यात्वपरिणतात्मा तीव्रकषायेण सुष्ठु आविष्टः
जीवं देहं एकं मन्यमानः भवति बहिरात्मा ।।१९३।।
અર્થઃજે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપે પરિણમ્યો હોય, તીવ્ર
કષાય (અનંતાનુબંધી)થી સુષ્ઠુ એટલે અતિશય યુક્ત હોય અને એ
રહિત જીવ નિયમથી પાપજીવ જાણવા. વળી મિથ્યાદ્રષ્ટિ પાપજીવ છે તે અનંતાનંત
છે, સર્વ સંસારરાશિમાંથી અન્ય ગુણસ્થાનવાળાનું પ્રમાણ બાદ કરતાં મિથ્યાદ્રષ્ટિ
જીવોનું પ્રમાણ આવે છે. બીજું સાસાદનગુણસ્થાનવાળા જીવો પણ પાપજીવ છે કારણ
કે તેઓ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક પ્રકૃતિનો ઉદય થતાં મિથ્યાત્વ સદ્રશ
ગુણને પ્રાપ્ત થાય છે, અને તેઓ પલ્યના અસંખ્યાતભાગ પ્રમાણ છે.
ગોમ્મટસાર-જીવકાંડ
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૭