લોકાનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — જે તરે તે તીર્થ વા જેનાથી તરીએ તે તીર્થ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયનાવ (નૌકા) વડે આ જીવ તરે છે તથા અન્યને તરવા માટે નિમિત્ત થાય છે, તેથી આ જીવ જ તીર્થ છે.
હવે અન્ય પ્રકારથી જીવના ભેદ કહે છેઃ —
અર્થઃ — બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ પ્રકારના જીવો છે; વળી પરમાત્મા પણ અરહંત તથા સિદ્ધ એમ બે પ્રકારથી છે.
હવે તેમનું સ્વરૂપ કહે છે. ત્યાં બહિરાત્મા કેવા છે તે કહે છેઃ —
અર્થઃ — જે જીવ મિથ્યાત્વકર્મના ઉદયરૂપે પરિણમ્યો હોય, તીવ્ર કષાય (અનંતાનુબંધી)થી સુષ્ઠુ એટલે અતિશય યુક્ત હોય અને એ રહિત જીવ નિયમથી પાપજીવ જાણવા. વળી મિથ્યાદ્રષ્ટિ પાપજીવ છે તે અનંતાનંત છે, સર્વ સંસારરાશિમાંથી અન્ય ગુણસ્થાનવાળાનું પ્રમાણ બાદ કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવોનું પ્રમાણ આવે છે. બીજું સાસાદનગુણસ્થાનવાળા જીવો પણ પાપજીવ છે કારણ કે તેઓ અનંતાનુબંધી ચોકડીમાંથી કોઈ એક પ્રકૃતિનો ઉદય થતાં મિથ્યાત્વ સદ્રશ ગુણને પ્રાપ્ત થાય છે, અને તેઓ પલ્યના અસંખ્યાતભાગ પ્રમાણ છે.