Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 194-195.

< Previous Page   Next Page >


Page 108 of 297
PDF/HTML Page 132 of 321

 

background image
૧૦૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા
કહીએ છીએ.
ભાવાર્થઃબાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે
બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વઅનંતાનુબંધીકષાયના ઉદયથી
થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત
પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે.
હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છેઃ
जे जिणवयणे कुसला भेदं जाणंति जीवदेहाणं
णिज्जियदुट्ठट्ठमया अंतरअप्पा य ते तिविहा ।।१९४।।
ये जिनवचने कुशलाः भेदं जानन्ति जीवदेहयोः
निर्जितदुष्ठाष्ठमदाः अन्तरात्मानः च ते त्रिविधाः ।।१९४।।
અર્થઃજેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ
(ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા
છે; અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે.
ભાવાર્થઃજે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ
અને દેહના સ્વરૂપને ભિન્ન-ભિન્ન જાણે છે તે અંતરાત્મા છે; તેને જાતિ,
લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો
છે તેમાં અહંકાર
મમકાર ઊપજતા નથી. કારણ કે, એ બધા પરદ્રવ્યના
સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ
પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ
पंचमहव्वयजुत्ता धम्मे सुक्के वि संठिदा णिच्चं
णिज्जियसयलपमाया उक्किट्ठा अंतरा होंति ।।१९५।।
पञ्चमहाव्रतयुक्ताः धर्मे शुक्ले अपि संस्थिताः नित्यम्
निर्जितसकलप्रमादाः उत्कृष्टाः अन्तराः भवन्ति ।।१९५।।