૧૦૮ ]
નિમિત્તથી જીવને તથા દેહને એક માનતો હોય તે જીવને બહિરાત્મા કહીએ છીએ.
ભાવાર્થઃ — બાહ્ય પરદ્રવ્યને જે આત્મા (સ્વરૂપ) માને તે બહિરાત્મા છે અને એમ માનવું મિથ્યાત્વ – અનંતાનુબંધીકષાયના ઉદયથી થાય છે. માટે ભેદવિજ્ઞાન રહિત થતો થકો દેહાદિથી માંડી સમસ્ત પરદ્રવ્યમાં અહંકાર-મમકાર યુક્ત બનેલો (જીવ) બહિરાત્મા કહેવાય છે.
હવે અંતરાત્માનું સ્વરૂપ ત્રણ ગાથાથી કહે છેઃ —
અર્થઃ — જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ (ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીત્યા છે તે અંતરાત્મા છે; અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે.
ભાવાર્થઃ — જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ અને દેહના સ્વરૂપને ભિન્ન-ભિન્ન જાણે છે તે અંતરાત્મા છે; તેને જાતિ, લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો છે તેમાં અહંકાર – મમકાર ઊપજતા નથી. કારણ કે, એ બધા પરદ્રવ્યના સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —