લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જે જીવ પંચમહાવ્રતથી યુક્ત હોય, નિત્ય ધર્મધ્યાન – શુક્લધ્યાનમાં રમતો હોય અને જીત્યા છે નિદ્રા આદિ પ્રમાદો જેણે તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
હવે મધ્યમ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય વા પ્રમત્તગુણસ્થાનથી યુક્ત જે મુનિ હોય તે મધ્ય અંતરાત્મા છે. કેવા છે તેઓ? શ્રી જિનેન્દ્રવચનમાં અનુરક્ત – લીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન કરતા નથી, મંદકષાય-ઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો, મહા પરાક્રમી છે, પરિષહાદિ સહન કરવામાં દ્રઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી જે ચલિત થતા નથી.
હવે જઘન્ય અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે જીવ અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે જઘન્ય અંતરાત્મા છે. તે કેવા છે? જિનેન્દ્રનાં ચરણોના ઉપાસક છે અર્થાત્ જિનેન્દ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિર્ગ્રંથગુરુની ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે, ચારિત્રમોહના ઉદયથી વ્રત ધાર્યાં જતાં નથી અને તેની ભાવના નિરંતર