Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 196-197.

< Previous Page   Next Page >


Page 109 of 297
PDF/HTML Page 133 of 321

 

background image
અર્થઃજે જીવ પંચમહાવ્રતથી યુક્ત હોય, નિત્ય ધર્મધ્યાન
શુક્લધ્યાનમાં રમતો હોય અને જીત્યા છે નિદ્રા આદિ પ્રમાદો જેણે
તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
હવે મધ્યમ અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ
सावयगुणेहिं जुत्ता पमत्तविरदा य मज्झिमा होंति
जिणवयणे अणुरत्ता उवसमसीला महासत्ता ।।१९६।।
श्रावकगुणैः युक्ताः प्रमत्तविरताः च मध्यमाः भवन्ति
जिनवचने अनुरक्ताः उपशमशीलाः महासत्त्वाः ।।१९६।।
અર્થઃજે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય વા
પ્રમત્તગુણસ્થાનથી યુક્ત જે મુનિ હોય તે મધ્ય અંતરાત્મા છે. કેવા છે
તેઓ? શ્રી જિનેન્દ્રવચનમાં અનુરક્ત
લીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન
કરતા નથી, મંદકષાય-ઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો, મહા પરાક્રમી
છે, પરિષહાદિ સહન કરવામાં દ્રઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી
જે ચલિત થતા નથી.
હવે જઘન્ય અંતરાત્માનું સ્વરૂપ કહે છેઃ
अविरयसम्माद्दिट्ठी होंति जहण्णा जिणिंदपयभत्ता
अप्पाणं णिंदंता गुणगहणे सुट्ठु अणुरत्ता ।।१९७।।
अविरतसम्यग्दृष्टयः भवन्ति जघन्याः जिनेन्द्रपदभक्ताः
आत्मानं निन्दन्तः गुणग्रहणे सुष्ठु अनुरक्ताः ।।१९७।।
અર્થઃજે જીવ અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો
જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે
જઘન્ય અંતરાત્મા છે. તે કેવા છે? જિનેન્દ્રનાં ચરણોના ઉપાસક છે
અર્થાત્ જિનેન્દ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિર્ગ્રંથગુરુની
ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે,
ચારિત્રમોહના ઉદયથી વ્રત ધાર્યાં જતાં નથી અને તેની ભાવના નિરંતર
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૦૯