Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 198-199.

< Previous Page   Next Page >


Page 110 of 297
PDF/HTML Page 134 of 321

 

background image
રહે છે, તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના
ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ
દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને
પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે
ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થઃચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા
અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી મધ્ય અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને
બારમા ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છેઃ
ससरीरा अरहंता केवलणाणेण मुणियसयलत्था
णाणसरीरा सिद्धा सव्वुत्तमसुक्खसंपत्ता ।।१९८।।
सशरीराः अर्हन्तः केवलज्ञानेन ज्ञातसकलार्थाः
ज्ञानशरीराः सिद्धाः सर्वोत्तमसौख्यसंप्राप्ताः ।।१९८।।
અર્થઃશરીરસહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા
જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્
જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે? તે શરીરરહિત
પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થઃતેરમા ને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હંત શરીરસહિત
પરમાત્મા છે તથા સિદ્ધપરમેષ્ઠી શરીરરહિત પરમાત્મા છે.
હવે ‘પરા’ શબ્દનો અર્થ કહે છેઃ
णिस्सेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती
कम्मजभावखए वि य सा वि य पत्ती परा होदि ।।१९९।।
निःशेषकर्मनाशे आत्मस्वभावेन या समुत्पत्तिः
कर्म्मजभावक्षये अपि च सा अपि च प्राप्तिः परा भवति ।।१९९।।
અર્થઃજે સમસ્ત કર્મોનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે
૧૧૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા