૧૧૦ ]
રહે છે, તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થઃ — ચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી મધ્ય અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — શરીરસહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્ જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે? તે શરીરરહિત પરમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થઃ — તેરમા ને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હંત શરીરસહિત પરમાત્મા છે તથા સિદ્ધપરમેષ્ઠી શરીરરહિત પરમાત્મા છે.
હવે ‘પરા’ શબ્દનો અર્થ કહે છેઃ —
અર્થઃ — જે સમસ્ત કર્મોનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે