તેને ‘પરા’ કહીએ છીએ. વળી કર્મથી ઊપજતા ઔદયિકાદિ ભાવોનો
નાશ થતાં જે ઊપજે તેને પણ ‘પરા’ કહીએ છીએ.
ભાવાર્થઃ — પરમાત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છેઃ ‘પરા’
એટલે ઉત્કૃષ્ટ તથા ‘મા’ એટલે લક્ષ્મી; તે જેને હોય એવા આત્માને
પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવરૂપ
લક્ષ્મીને પ્રાપ્ત થયા છે એવા સિદ્ધ, તે પરમાત્મા છે. વળી ઘાતિકર્મોના
નાશથી અનંતચતુષ્ટયરૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે એવા અરહંત,
તે પણ પરમાત્મા છે. વળી તેઓને જ ‘ઔદયિકાદિ ભાવોનો નાશ કરી
પરમાત્મા થયા’ એમ પણ કહીએ છીએ.
હવે કોઈ ‘જીવને સર્વથા શુદ્ધ જ’ કહે છે તેના મતને નિષેધે
છેઃ —
जइ पुण सुद्धसहावा सव्वे जीवा अणाइकाले वि ।
तो तवचरणविहाणं सव्वेसिं णिप्फलं होदि ।।२००।।
यदि पुनः शुद्धस्वभावाः सर्वे जीवाः अनादिकाले अपि ।
तत् तपश्चरणविधानं सर्वेषां निष्फलं भवति ।।२००।।
અર્થઃ — જો બધાય જીવો અનાદિકાળથી પણ શુદ્ધસ્વભાવરૂપ છે
તો બધાયને તપશ્ચરણાદિ વિધાન છે તે નિષ્ફળ થાય છે.
ता किह गिह्णदि देहं णाणाकम्माणि ता कहं कुणदि ।
सुहिदा वि य दुहिदा वि य णाणारूवा कहं होंति ।।२०१।।
तत् कथं गृह्णति देहं नानाकर्माणि तत् कथं करोति ।
सुखिताः अपि च दुःखिताः अपि च नानारूपाः कथं भवन्ति ।।२०१।।
અર્થઃ — જો જીવ સર્વથા શુદ્ધ જ છે તો દેહને કેમ ગ્રહણ કરે
છે? નાના પ્રકારનાં કર્મોને કેમ કરે છે? તથા ‘કોઈ સુખી છે – કોઈ
દુઃખી છે’ એવા નાના પ્રકારના તફાવતો કેમ હોય છે? માટે તે સર્વથા
શુદ્ધ નથી.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૧