Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 202-204.

< Previous Page   Next Page >


Page 112 of 297
PDF/HTML Page 136 of 321

 

background image
હવે અશુદ્ધતા અને શુદ્ધતાનું કારણ કહે છે.
सव्वे कम्मणिबद्धा संसरमाणा अणाइकालम्हि
पच्छा तोडिय बंधं सिद्धा सुद्धा धुवा होंति ।।२०२।।
सर्वे कर्मनिबद्धाः संसरमाणाः अनादिकाले
पश्चात् त्रोटयित्वा बन्धं सिद्धः शुद्धाः ध्रुवाः भवन्ति ।।२०२।।
અર્થઃબધાય જીવો અનાદિકાળથી કર્મોથી બંધાયેલા છે, તેથી
તેઓ સંસારમાં પરિભ્રમણ કરે છે અને પછી એ કર્મોના બંધનોને તોડી
સિદ્ધ થાય છે ત્યારે તેઓ શુદ્ધ અને નિશ્ચળ થાય છે.
હવે જે બંધનથી જીવ બંધાયેલો છે તે બંધનનું સ્વરૂપ કહે
છેઃ
जो अण्णोण्णपवेसो जीवपएसाण कम्मखंधाणं
सव्वबंधाणं वि लओ सो बंधो होदि जीवस्स ।।२०३।।
यः अन्योन्यप्रवेशः जीवप्रदेशानां कर्मस्कन्धानाम्
सर्वबन्धानां अपि लयः सः बन्धः भवति जीवस्य ।।२०३।।
અર્થઃજીવના પ્રદેશોનો અને કર્મોના સ્કંધોનો પરસ્પર પ્રવેશ
થવો અર્થાત્ એકક્ષેત્રાવગાહ સંબંધ થવો તે જીવને પ્રદેશબંધ છે અને
તે જ પ્રકૃતિ, સ્થિતિ તથા અનુભાગરૂપ સર્વ બંધનું પણ લય અર્થાત્
એકરૂપ હોવું છે.
હવે સર્વ દ્રવ્યોમાં જીવ દ્રવ્ય જ ઉત્તમ-પરમ તત્ત્વ છે એમ કહે
છેઃ
उत्तमगुणाण धामं सव्वदव्वाण उत्तमं दव्वं
तच्चाण परमतच्चं जीवं जाणेह णिच्छयदो ।।२०४।।
उत्तमगुणानां धाम सर्वद्रव्याणां उत्तमं द्रव्यं
तत्त्वानां परमतत्त्वं जीवं जानीहि निश्चयतः ।।२०४।।
૧૧૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા