Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 205-206.

< Previous Page   Next Page >


Page 113 of 297
PDF/HTML Page 137 of 321

 

background image
અર્થઃજીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છેજ્ઞાનાદિ ઉત્તમ ગુણો
એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે. કારણ કે, સર્વ
દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને
અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે
એમ હે ભવ્ય! તું
નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છેઃ
अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि
णाणविहीणं दव्वं हियाहियं णेव जाणादि ।।२०५।।
अन्तस्तत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि
ज्ञानविहीनं द्रव्यं हिताहितं नैव जानाति ।।२०५।।
અર્થઃજીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો
બાહ્યતત્ત્વ છેજ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિત
-અહિત અર્થાત્ હેય-ઉપાદેય વસ્તુને કેમ જાણે?
ભાવાર્થઃજીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને
જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હેય-ઉપાદેયને સમજવાવાળો
એક જીવ જ પરમ તત્ત્વ છે.
હવે પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
सव्वो लोयायासो पुग्गलदव्वेहिं सव्वदो भरिदो
सुहमेहिं बायरेहिं य णाणाविहसत्तिजुत्तेहिं ।।२०६।।
सर्वः लोकाकाशः पुद्गलद्रव्यैः सर्वतः भृतः
सूक्ष्मैः बादरैः च नानाविधशक्तियुक्तैः ।।२०६।।
અર્થઃસર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ
પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્ગલદ્રવ્યો? નાના પ્રકારની શક્તિઓ
સહિત છે.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૩