અર્થઃ — જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે — જ્ઞાનાદિ ઉત્તમ ગુણો
એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે. કારણ કે, સર્વ
દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને
અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે — એમ હે ભવ્ય! તું
નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છેઃ —
अंतरतच्चं जीवो बाहिरतच्चं हवंति सेसाणि ।
णाणविहीणं दव्वं हियाहियं णेव जाणादि ।।२०५।।
अन्तस्तत्त्वं जीवः बाह्यतत्त्वं भवन्ति शेषाणि ।
ज्ञानविहीनं द्रव्यं हिताहितं नैव जानाति ।।२०५।।
અર્થઃ — જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો
બાહ્યતત્ત્વ છે — જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિત
-અહિત અર્થાત્ હેય-ઉપાદેય વસ્તુને કેમ જાણે?
ભાવાર્થઃ — જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને
જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હેય-ઉપાદેયને સમજવાવાળો
એક જીવ જ પરમ તત્ત્વ છે.
હવે પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
सव्वो लोयायासो पुग्गलदव्वेहिं सव्वदो भरिदो ।
सुहमेहिं बायरेहिं य णाणाविहसत्तिजुत्तेहिं ।।२०६।।
सर्वः लोकाकाशः पुद्गलद्रव्यैः सर्वतः भृतः ।
सूक्ष्मैः बादरैः च नानाविधशक्तियुक्तैः ।।२०६।।
અર્થઃ — સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ
પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્ગલદ્રવ્યો? નાના પ્રકારની શક્તિઓ
સહિત છે.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૩