Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 207-209.

< Previous Page   Next Page >


Page 114 of 297
PDF/HTML Page 138 of 321

 

background image
ભાવાર્થઃશરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત
સૂક્ષ્મ-બાદર પુદ્ગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
जं इंदिएहिं गिज्झं रूवरसगंधफासपरिणामं
तं चिय पुग्गलदव्वं अणंतगुणं जीवरासीदो ।।२०७।।
यत् इन्द्रियैः ग्राह्यं रूपरसगन्धस्पर्शपरिणामम्
तत् एव पुद्गलद्रव्यं अनन्तगुणं जीवराशितः ।।२०७।।
અર્થઃરૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા
ગ્રહણ કરવા યોગ્ય છે તે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા
અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છેઃ
जीवस्स बहुपयारं उवयारं कुणदि पुग्गलं दव्वं
देहं च इंदियाणि य वाणी उस्सासणिस्सासं ।।२०८।।
जीवस्य बहुप्रकारं उपकारं करोति पुद्गलं द्रव्यं
देहं च इन्द्रियाणि च वाणी उछ्वासनिःश्वासम् ।।२०८।।
અર્થઃપુદ્ગલદ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ
કરે છે, ઇન્દ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છ્વાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થઃસંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા
છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે.
अण्णं पि एवमाई उवयारं कुणदि जाव संसारं
मोह-अणाणमयं पि य परिणामं कुणदि जीवस्स ।।२०९।।
अन्यमपि एवमादि उपकारं करोति यावत् संसारम्
मोहाज्ञानमयं अपि च परिणामं करोति जीवस्य ।।२०९।।
અર્થઃઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ
ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા
૧૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા