૧૧૪ ]
ભાવાર્થઃ — શરીરાદિ અનેક પ્રકારની પરિણમનશક્તિથી યુક્ત સૂક્ષ્મ-બાદર પુદ્ગલોથી સર્વ લોકાકાશ ભરેલો છે.
અર્થઃ — રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ પરિણામસ્વરૂપે, જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય છે તે, સર્વ પુદ્ગલ દ્રવ્ય છે અને તે સંખ્યા અપેક્ષાએ જીવરાશિથી અનંત ગણાં દ્રવ્ય છે.
હવે પુદ્ગલદ્રવ્યને જીવનું ઉપકારીપણું કહે છેઃ —
અર્થઃ — પુદ્ગલદ્રવ્ય જીવને ઘણા પ્રકારનો ઉપકાર કરે છે; દેહ કરે છે, ઇન્દ્રિયો કરે છે, વચન કરે છે તથા ઉચ્છ્વાસ-નિશ્વાસ કરે છે.
ભાવાર્થઃ — સંસારી જીવોના દેહાદિક, પુદ્ગલદ્રવ્યોથી રચાયેલા છે અને એ વડે જીવનું જીવિતવ્ય છે એ ઉપકાર છે.
અર્થઃ — ઉપર કહ્યા ઉપરાંત પુદ્ગલ દ્રવ્ય જીવને અન્ય પણ ઉપકાર કરે છે. જ્યાં સુધી આ જીવને સંસાર છે ત્યાં સુધી ઘણા