પરિણામ કરે છે. જેમ કે — મોહપરિણામ, પરદ્રવ્ય સાથે મમત્વપરિણામ,
અજ્ઞાનમય પરિણામ તથા એ જ પ્રમાણે સુખ-દુઃખ, જીવન-મરણ આદિ
અનેક પ્રકારના (પરિણામ) કરે છે. અહીં ‘ઉપકાર’ શબ્દનો અર્થ ‘જ્યારે
ઉપાદાન કાર્ય કરે ત્યારે નિમિત્તકારણમાં કર્તાપણાનો આરોપ કરવામાં
આવે છે.’ એવો અર્થ સર્વત્ર સમજવો.
હવે ‘જીવ પણ જીવને ઉપકાર કરે છે’ એમ કહે છેઃ —
जीवा वि दु जीवाणं उवयारं कुणदि सव्वपच्चक्खं ।
तत्थ वि पहाणहेऊ पुण्णं पावं च णियमेण ।।२१०।।
जीवाः अपि तु जीवानां उपकारं कुर्वन्ति सर्वप्रत्यक्षम् ।
तत्र अपि प्रधानहेतुः पुण्यं पापं च नियमेन ।।२१०।।
અર્થઃ — જીવો પણ જીવોને પરસ્પર ઉપકાર કરે છે અને તે
સર્વને પ્રત્યક્ષ જ છે. સરદાર ચાકરને, ચાકર સરદારને, આચાર્ય
શિષ્યને – શિષ્ય આચાર્યને, માતાપિતા પુત્રને, પુત્ર માતાપિતાને, મિત્ર
મિત્રને, સ્ત્રી ભરથારને ઇત્યાદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં એ
પરસ્પર ઉપકારમાં પુણ્ય-પાપકર્મ નિયમથી પ્રધાન કારણ છે.
હવે ‘પુદ્ગલની પણ મોટી શક્તિ છે’ એમ કહે છેઃ —
का वि अपुव्वा दीसदि पुग्गलदव्वस्स एरिसी सत्ती ।
केवलणाणसहाओ विणासिदो जाइ जीवस्स ।।२११।।
का अपि अपूर्वा दृश्यते पुद्गलद्रव्यस्य ईदृशी शक्तिः ।
केवलज्ञानस्वभावः विनाशितः याति जीवस्य ।।२११।।
અર્થઃ — પુદ્ગલદ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં
આવે છે કે જીવનો કેવળજ્ઞાન સ્વભાવ છે તે પણ જે શક્તિથી વિણસી
જાય છે.
ભાવાર્થઃ — જીવની અનંત શક્તિ છે તેમાં કેવલજ્ઞાન શક્તિ એવી
છે કે જેની વ્યક્તિ (પ્રકાશ-પ્રગટતા) થતાં સર્વ પદાર્થોને તે એક કાળમાં જાણે
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૧૫