લોકાનુપ્રેક્ષા ]
પરિણામ કરે છે. જેમ કે — મોહપરિણામ, પરદ્રવ્ય સાથે મમત્વપરિણામ, અજ્ઞાનમય પરિણામ તથા એ જ પ્રમાણે સુખ-દુઃખ, જીવન-મરણ આદિ અનેક પ્રકારના (પરિણામ) કરે છે. અહીં ‘ઉપકાર’ શબ્દનો અર્થ ‘જ્યારે ઉપાદાન કાર્ય કરે ત્યારે નિમિત્તકારણમાં કર્તાપણાનો આરોપ કરવામાં આવે છે.’ એવો અર્થ સર્વત્ર સમજવો.
અર્થઃ — જીવો પણ જીવોને પરસ્પર ઉપકાર કરે છે અને તે સર્વને પ્રત્યક્ષ જ છે. સરદાર ચાકરને, ચાકર સરદારને, આચાર્ય શિષ્યને – શિષ્ય આચાર્યને, માતાપિતા પુત્રને, પુત્ર માતાપિતાને, મિત્ર મિત્રને, સ્ત્રી ભરથારને ઇત્યાદિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં એ પરસ્પર ઉપકારમાં પુણ્ય-પાપકર્મ નિયમથી પ્રધાન કારણ છે.
હવે ‘પુદ્ગલની પણ મોટી શક્તિ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — પુદ્ગલદ્રવ્યની પણ કોઈ એવી અપૂર્વ શક્તિ જોવામાં આવે છે કે જીવનો કેવળજ્ઞાન સ્વભાવ છે તે પણ જે શક્તિથી વિણસી જાય છે.
ભાવાર્થઃ — જીવની અનંત શક્તિ છે તેમાં કેવલજ્ઞાન શક્તિ એવી છે કે જેની વ્યક્તિ (પ્રકાશ-પ્રગટતા) થતાં સર્વ પદાર્થોને તે એક કાળમાં જાણે