૧૧૬ ]
છે. એવી વ્યક્તિ (પ્રગટતા)ને પુદ્ગલ નષ્ટ કરે છે — પ્રગટ થવા દેતું નથી. એ અપૂર્વ શક્તિ છે. એ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણ કર્યું.
અર્થઃ — જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિનાં સહકારીકારણ છે તે ધર્મ અને અધર્મદ્રવ્ય છે, અને તે બંનેય લોકાકાશપ્રમાણ પ્રદેશને ધારણ કરે છે.
ભાવાર્થઃ — જીવ-પુદ્ગલોને ગમનમાં સહકારીકારણ તો ધર્મદ્રવ્ય છે તથા સ્થિતિમાં સહકારીકારણ અધર્મદ્રવ્ય છે; અને તે બંને લોકાકાશપ્રમાણ છે.
હવે આકાશદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે તે આકાશદ્રવ્ય છે અને તે લોક તથા અલોકના ભેદથી બે પ્રકારનું છે.
ભાવાર્થઃ — જેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહનગુણને જે ધારે છે તે આકાશદ્રવ્ય છે, જેમાં (પોતાસહિત બીજાં) પાંચ દ્રવ્યો રહે છે તે તો લોકાકાશ છે તથા જેમાં (આકાશ સિવાય બીજાં) અન્ય દ્રવ્યો નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશદ્રવ્યના બે ભેદ છે.