Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 212-213.

< Previous Page   Next Page >


Page 116 of 297
PDF/HTML Page 140 of 321

 

background image
છે. એવી વ્યક્તિ (પ્રગટતા)ને પુદ્ગલ નષ્ટ કરે છેપ્રગટ થવા દેતું નથી.
એ અપૂર્વ શક્તિ છે. એ પ્રમાણે પુદ્ગલદ્રવ્યનું નિરૂપણ કર્યું.
હવે ધર્મ અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
धम्ममधम्मं दव्वं गमणट्ठाणाण कारणं कमसो
जीवाण पुग्गलाणं बिण्णि वि लोगप्पमाणाणि ।।२१२।।
धर्मं अधर्मं द्रव्यं गमनस्थानयोः कारणं क्रमशः
जीवानां पुद्गलानां द्वे अपि लोकप्रमाणे ।।२१२।।
અર્થઃજીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન
અને સ્થિતિનાં સહકારીકારણ છે તે ધર્મ અને અધર્મદ્રવ્ય છે, અને તે
બંનેય લોકાકાશપ્રમાણ પ્રદેશને ધારણ કરે છે.
ભાવાર્થઃજીવ-પુદ્ગલોને ગમનમાં સહકારીકારણ તો ધર્મદ્રવ્ય
છે તથા સ્થિતિમાં સહકારીકારણ અધર્મદ્રવ્ય છે; અને તે બંને
લોકાકાશપ્રમાણ છે.
હવે આકાશદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
सयलाणं दव्वाणं जं दादुं सक्कदे हि अवगासं
तं आयासं दुविहं लोयालोयाण भेएण ।।२१३।।
सकलानां द्रव्याणां यत् दातुं शक्नोति हि अवकाशम्
तत् आकाशं द्विविधं लोकालोकयोः भेदेन ।।२१३।।
અર્થઃજે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે તે
આકાશદ્રવ્ય છે અને તે લોક તથા અલોકના ભેદથી બે પ્રકારનું છે.
ભાવાર્થઃજેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહનગુણને જે ધારે
છે તે આકાશદ્રવ્ય છે, જેમાં (પોતાસહિત બીજાં) પાંચ દ્રવ્યો રહે છે
તે તો લોકાકાશ છે તથા જેમાં (આકાશ સિવાય બીજાં) અન્ય દ્રવ્યો
નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશદ્રવ્યના બે ભેદ છે.
૧૧૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા