શ્રાવકધર્મ મોક્ષનું પરંપરાએ કારણ છે અને મુનિધર્મ સાક્ષાત્ કારણ છે. માટે
શુદ્ધપરિણતિમાં શ્રાવકધર્મથી આગળ વધી જે મુનિધર્મમાં પ્રવૃત્ત થાય તે
અત્યાસન્નભવ્યજીવ શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક કે મુનિનો જે
વ્રતાદિ શુભપ્રવૃત્તિરૂપ આચારધર્મ છે તે પરમાર્થે ‘ધર્મ’ નથી. પરંતુ નીચલી
દશામાં નિર્મળ પરિણતિ સાથે તે હઠ વિના સહજ વર્તતો હોવાથી તેને
ઉપચારથી ‘ધર્મ’ કહેવામાં આવે છે. માટે શુભાસ્રવરૂપ વ્રતાદિમય શ્રાવકધર્મ
કે મુનિધર્મ
આલોચના અને સમાધિ વગેરે છે. માટે આ અનુપ્રેક્ષાઓનું નિરંતર ચિંતન કરવું
જોઈએ. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારથી
કથવામાં આવેલી આ અનુપ્રેક્ષાઓનું જે શુદ્ધ મનથી ચિંતવન કરે છે તે પરમ
નિર્વાણને પામે છે.
બંધબેસતા અનેક વિષયોનું ઘણી જ સુંદર અને સુગમ રીતે નિરૂપણ કર્યું છે.
તે તે વિષયનું નિરૂપણ કરનારી ગાથાઓની ભાષા એટલી સરળ, સ્પષ્ટ, મધુર
અને તલસ્પર્શી છે કે એકાગ્રચિત્તે અધ્યયન કરનારને તેમાં ભરેલા, જ્ઞાન-
વૈરાગ્યને સીંચનારા, ભાવોથી હૃદય આહ્લાદિત થઈ જાય છે. અધ્રુવ આદિ
પ્રત્યેક અનુપ્રેક્ષાનું તે તે પ્રકારની શુદ્ધિએ પરિણત આત્મદ્રવ્યનું વૈરાગ્યપ્રેરક તેમ
જ ઉપશાન્તરસયુક્ત હૃદયગ્રાહી ચિત્રણ આપીને તે તે અનુપ્રેક્ષાની પ્રાયઃ અંતિમ
એક
રોમાંચ ખડા થઈ જાય. હે ભવ્યજીવ! તું સમસ્ત વિષયોને ક્ષણભંગુર સાંભળી
તેમ જ મહામોહ છોડી, તારા અંતઃકરણને નિર્વિષય
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ આત્માના શરણનું સેવન કર! આ સંસારમાં પરિભ્રમણ