Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 216-217.

< Previous Page   Next Page >


Page 118 of 297
PDF/HTML Page 142 of 321

 

૧૧૮ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

પ્રદેશ અને એક કાલાણુદ્રવ્ય એ પ્રમાણે સર્વ રહે છે. હવે એ આકાશનો પ્રદેશ એક પુદ્ગલપરમાણુ બરાબર છે. જો અવગાહનશક્તિ ન હોય તો (એ પ્રમાણે) શી રીતે રહે?

હવે કાળદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ
सव्वाणं दव्वाणं परिणामं जो करेदि सो कालो
एक्केकासपएसे सो वट्टदि एक्किको चेव ।।२१६।।
सर्वेषां द्रव्याणां परिणामं यः करोति सः कालः
एकैकाशकाशप्रदेशे स वर्तते एकैकः च एव ।।२१६।।

અર્થઃજે સર્વ દ્રવ્યોને પરિણામ કરે છે તે કાળદ્રવ્ય છે અને તે એક એક આકાશના પ્રદેશમાં એક એક કાલાણુદ્રવ્ય વર્તે છે.

ભાવાર્થઃસર્વ દ્રવ્યોને પ્રતિસમય પર્યાય ઊપજે છે અને વિણસે છે; એવા પરિણમનને નિમિત્તમાત્ર કાળદ્રવ્ય છે. લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક કાળાણુ રહે છે અને તે નિશ્ચયકાળ છે.

હવે કહે છે કેપરિણમવાની સ્વભાવભૂત શક્તિ તો સર્વ દ્રવ્યોમાં છે, ત્યાં અન્ય દ્રવ્ય નિમિત્તમાત્ર છેઃ

णियणियपरिणामाणं णियणियदव्वं पि कारणं होदि
अण्णं बाहिरदव्वं णिमित्तमित्तं वियाणेह ।।२१७।।
निजनिजपरिणामानां निजनिजद्रव्यं अपि कारणं भवति
अन्यत् बाह्यद्रव्यं निमित्तमात्रं विजानीत ।।२१७।।

અર્થઃસર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામોનાં ઉપાદાનકારણ છે અને અન્ય બાહ્ય દ્રવ્ય છે, તે અન્યને નિમિત્તમાત્ર જાણો.

ભાવાર્થઃજેમ ઘટ આદિનું માટી ઉપાદાનકારણ છે અને ચાક-દંડાદિ નિમિત્તકારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકારણ છે.