૧૨૪ ]
અર્થઃ — ત્રણે કાળમાં એક એક સમયમાં પૂર્વ-ઉત્તર પરિણામનો આશ્રય કરી જીવાદિક વસ્તુઓમાં નવા નવા કાર્યવિશેષ થાય છે અર્થાત્ નવા નવા પર્યાય ઊપજે છે.
હવે પૂર્વ-ઉત્તરભાવમાં કારણ-કાર્યભાવ દ્રઢ કરે છેઃ —
અર્થઃ — પૂર્વપરિણામયુક્ત દ્રવ્ય છે તે તો કારણભાવથી વર્તે છે તથા તે જ દ્રવ્ય ઉત્તરપરિણામથી યુક્ત થાય ત્યારે કાર્ય થાય છે એમ તમે નિયમથી જાણો.
ભાવાર્થઃ — જેમ પિંડરૂપે પરિણમેલ માટી તો કારણ છે અને તેનું, ઘટરૂપે પરિણમેલ માટી તે કાર્ય છે. તેમ પૂર્વપર્યાય (પ્રથમના પર્યાય)નું સ્વરૂપ કહી હવે જીવ ઉત્તરપર્યાયયુક્ત થયો ત્યારે તે જ કાર્યરૂપ થયો; એવો નિયમ છે. એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ કહીએ છીએ.
હવે જીવદ્રવ્યને પણ એ જ પ્રમાણે અનાદિનિધન કાર્ય-કારણભાવ સાધે છેઃ —
અર્થઃ — જીવદ્રવ્ય છે તે અનાદિનિધન છે અને તે નવા નવા