Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 232-233.

< Previous Page   Next Page >


Page 125 of 297
PDF/HTML Page 149 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૨૫

પર્યાયોરૂપે પ્રગટ પરિણમે છે; તે પ્રથમ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની સામગ્રીમાં વર્તે છે પછી કાર્યનેપર્યાયને પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃજેમ કોઈ જીવ પહેલાં શુભપરિણામરૂપે પ્રવર્તે છે પછી સ્વર્ગને પ્રાપ્ત થાય છે, તથા (કોઈ જીવ) પહેલાં અશુભપરિણામ- રૂપે પ્રવર્તે છે પછી નરકાદિ પર્યાયને પ્રાપ્ત થાય છે, એમ સમજવું.

હવે ‘જીવદ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં રહીને જ નવીન પર્યાયરૂપ કાર્યને કરે છે’ એમ કહે છેઃ

ससरूवत्थो जीवो कज्जं साहेदि वट्टमाणं पि
खेत्ते एकम्मि ठिदो णियदव्वे संठिदो चेव ।।२३२।।
स्वस्वरूपस्थः जीवः कार्यं साधयति वर्त्तमानं अपि
क्षेत्रे एकस्मिन् स्थितः निजद्रव्ये संस्थितः चैव ।।२३२।।

અર્થઃજીવદ્રવ્ય છે તે પોતાના ચેતનાસ્વરૂપમાં (ભાવમાં) પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાયસ્વરૂપ કાર્યને સાધે છે.

ભાવાર્થઃપરમાર્થથી વિચારીએ તો પોતાનાં જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ -ભાવસ્વરૂપ થતો થકો જીવ, પર્યાયસ્વરૂપ કાર્યરૂપે પરિણમે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે તો નિમિત્તમાત્ર છે.

હવે અન્યરૂપ થઈને કાર્ય કરે તો તેમાં દૂષણ દર્શાવે છેઃ

ससरूवत्थो जीवो अण्णसरूवम्मि गच्छदे जदि हि
अण्णोण्णमेलणादो एकसरूवं हवे सव्वं ।।२३३।।
स्वस्वरूपस्थः जीवः अन्यस्वरूपे गच्छेत् यदि हि
अन्योन्यमेलनात् एकस्वरूपं भवेत् सर्वं ।।२३३।।

અર્થઃજો જીવ પોતાના સ્વરૂપમાં રહીને પણ પરસ્વરૂપમાં જાય તો પરસ્પર મળવાથી બધાંય દ્રવ્યો એકરૂપ બની જાય; એ મહાન