Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 236-237.

< Previous Page   Next Page >


Page 127 of 297
PDF/HTML Page 151 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૨૭

ભાવાર્થઃનિરંશ, ક્ષણિક અને નિરન્વયી વસ્તુમાં અર્થક્રિયા થાય નહિ; માટે વસ્તુને કથંચિત્ અંશસહિત, નિત્ય તથા અન્વયી માનવી યોગ્ય છે.

હવે દ્રવ્યમાં એકત્વપણાનો નિશ્ચય કરે છેઃ

सव्वाणं दव्वाणं दव्वसरूवेण होदि एयत्तं
णियणियगुणभेएण हि सव्वाणि वि होंति भिण्णाणि ।।२३६।।
सर्वेषां द्रव्याणां द्रव्यस्वरूपेण भवति एकत्वम्
निजनिजगुणभेदेन हि सर्वाणि अपि भवन्ति भिन्नानि ।।२३६।।

અર્થઃબધાંય દ્રવ્યોને દ્રવ્યસ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્નભિન્ન છે.

ભાવાર્થઃદ્રવ્યનું લક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા ચેતનતા-અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે માટે ગુણના ભેદથી બધાં દ્રવ્યો ન્યારાં ન્યારાં છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે, તે બધા પર્યાયોમાં દ્રવ્યસ્વરૂપથી તો એકતા જ છે; જેમ ચેતનના પર્યાય બધા ચેતનસ્વરૂપ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્ન-ભિન્ન પણ છે, ભિન્ન-ભિન્નકાળવર્તી છે તેથી ભિન્ન-ભિન્ન પણ કહીએ છીએ; પરંતુ તેમને પ્રદેશભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી.

હવે દ્રવ્યને ગુણ-પર્યાયસ્વભાવપણું દર્શાવે છેઃ

जो अत्थो पडिसमयं उप्पादव्वयध्रुवत्तसब्भावो
गुणपज्जयपरिणामो सो संतो भण्णदे समये ।।२३७।।
यः अर्थः प्रतिसमयं उत्पादव्ययध्रुवत्वसद्भावः
गुणपर्यायपरिणामः सः सत् भण्यते समये ।।२३७।।

અર્થઃઅર્થ એટલે વસ્તુ છે; તે સમયે સમયે ઉત્પાદ-વ્યય