લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ (વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડ્યો એટલે કહે કે ‘આ ઊપજ્યો’, પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથી – વ્યર્થ છે; તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી – ઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ.
અર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની અવિદ્યમાન જ ઉત્પત્તિ છે.
ભાવાર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિદ્યમાન અર્થાત્ અણછતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે ‘બધી પર્યાયો એક જ સમયમાં વિદ્યમાન છે તે ઢંકાતી – ઊઘડતી જાય છે.’ પરંતુ સમયે સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે.
હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છેઃ —
અર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.
ભાવાર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ