અર્થઃ — જો ‘દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને
તિરોહિત એટલે ઢંકાયેલા છે’ એમ માનીએ તો ઉત્પત્તિ કહેવી જ વિફલ
(વ્યર્થ) છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને ઉઘાડ્યો એટલે કહે
કે ‘આ ઊપજ્યો’, પણ એમ ઊપજવું કહેવું તે વાસ્તવિક નથી – વ્યર્થ છે;
તેમ દ્રવ્યમાં પર્યાય ઢાંકી – ઊઘડીને ઊપજતી કહેવી તે પરમાર્થ નથી. માટે
દ્રવ્યમાં અવિદ્યમાન પર્યાયની જ ઉત્પત્તિ કહીએ છીએ.
सव्वाणं पज्जयाणं अविज्जमाणाण होदि उप्पत्ती ।
कालाईलद्धीए अणाइणिहणम्मि दव्वम्मि ।।२४४।।
सर्वेषां पर्यायाणां अविद्यमानानां भवति उत्पत्तिः ।
कालादिलब्ध्या अनादिनिधने द्रव्ये ।।२४४।।
અર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી સર્વ પર્યાયોની
અવિદ્યમાન જ ઉત્પત્તિ છે.
ભાવાર્થઃ — અનાદિનિધન દ્રવ્યમાં કાળાદિ લબ્ધિથી અવિદ્યમાન
અર્થાત્ અણછતી પર્યાય જ ઊપજે છે. પણ એમ નથી કે ‘બધી પર્યાયો
એક જ સમયમાં વિદ્યમાન છે તે ઢંકાતી – ઊઘડતી જાય છે.’ પરંતુ સમયે
સમયે ક્રમપૂર્વક નવીન નવીન જ પર્યાયો ઊપજે છે. દ્રવ્ય તો ત્રિકાળવર્તી
સર્વ પર્યાયોનો સમુદાય છે અને કાળભેદથી પર્યાયો ક્રમે થાય છે.
હવે દ્રવ્ય અને પર્યાયોને કથંચિત્ ભેદ-અભેદપણું દર્શાવે છેઃ —
दव्वाण पज्जयाणं धम्मविवक्खाए कीरए भेओ ।
वत्थुसरूवेण पुणो ण हि भेदो सक्कदे काउं ।।२४५।।
द्रव्याणां पर्यायाणां धर्मविवक्षया क्रियते भेदः ।
वस्तुस्वरूपेण पुनः न हि भेदः शक्यते कर्तुम् ।।२४५।।
અર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ કરવામાં
આવે છે; પરંતુ વસ્તુસ્વરૂપથી ભેદ થઈ શકતો નથી.
ભાવાર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં ધર્મ-ધર્મીની વિવક્ષાથી ભેદ
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૧