૧૩૨ ]
કરવામાં આવે છે અર્થાત્ દ્રવ્ય ધર્મી છે અને પર્યાય ધર્મ છે. વસ્તુપણે એ બંને અભેદ જ છે. કોઈ નૈયાયિકાદિક ધર્મ-ધર્મીમાં સર્વથા ભેદ માને છે; તેમનો મત પ્રમાણબાધિત છે.
હવે દ્રવ્ય અને પર્યાયમાં સર્વથા ભેદ માને છે તેમના મતમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — દ્રવ્ય અને પર્યાયમાં (સર્વથા) ભેદ માને છે તેને કહે છે કે – હે મૂઢ! જો તું દ્રવ્ય અને પર્યાયમાં વસ્તુપણાથી પણ ભેદ માને છે તો દ્રવ્ય અને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ નિયમથી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ — (એમ માનતાં) દ્રવ્ય અને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે પણ તેમાં ધર્મ-ધર્મીપણું ઠરતું નથી.
હવે જેઓ વિજ્ઞાનને જ અદ્વૈત કહે છે અને બાહ્ય પદાર્થ માનતા નથી. તેમના મતમાં દૂષણ દર્શાવે છેઃ —
અર્થઃ — જો બધીય વસ્તુ એક જ્ઞાન જ છે અને તે જ નાનારૂપથી સ્થિત છે – રહે છે તો એમ માનતાં જ્ઞેય કાંઈ પણ ન ઠર્યું, અને જ્ઞેય વિના જ્ઞાન જ કેવી રીતે ઠરશે?
ભાવાર્થઃ — વિજ્ઞાનાદ્વૈતવાદી – બૌદ્ધમતી કહે છે કે — ‘જ્ઞાનમાત્ર જ