Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 248-250.

< Previous Page   Next Page >


Page 133 of 297
PDF/HTML Page 157 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૩૩

તત્ત્વ છે અને તે જ નાનારૂપથી બિરાજે છે.’ તેને કહે છે કેજો જ્ઞાનમાત્ર છે તો જ્ઞેય કાંઈ પણ ન રહ્યું અને જ્ઞેય નથી તો જ્ઞાન કેવી રીતે કહો છો? કારણ કે જ્ઞેયને જાણે તે જ જ્ઞાન કહેવાય છે પણ જ્ઞેય વિના જ્ઞાન નથી.

घडपडजडदव्वाणि हि णेयसरूवाणि सुप्पसिद्धाणि
णाणं जाणेदि जदो अप्पादो भिण्णरूवाणि ।।२४८।।
घटपटजडद्रव्याणि हि ज्ञेयस्वरूपाणि सुप्रसिद्धानि
ज्ञानं जानाति यतः आत्मनः भिन्नरूपाणि ।।२४८।।

અર્થઃઘટ, પટ આદિ સમસ્ત જડ દ્રવ્યો જ્ઞેયસ્વરૂપથી ભલા પ્રકારે પ્રસિદ્ધ છે અને તેમને જ્ઞાન જાણે છે તેથી તેઓ આત્માથી જ્ઞાનથી ભિન્નરૂપ જુદાં ઠરે છે.

ભાવાર્થઃજડદ્રવ્ય એવા જ્ઞેયપદાર્થો આત્માથી ભિન્નરૂપ જુદા જુદા પ્રસિદ્ધ છે તેનો લોપ શી રીતે કરી શકાય? જો તેને ન માનવામાં આવે તો જ્ઞાન પણ ન ઠરે, કારણ કે જાણ્યા વિના જ્ઞાન શાનું?

जं सव्वलोयसिद्धं देहं गेहादिबाहिरं अत्थं
जो तं पि णाण मण्णदि ण मुणदि सो णाणणामं पि ।।२४९।।
यत् सर्वलोकसिद्धं देहं गेहादिबाह्यं अर्थं
यः तदपि ज्ञानं मन्यते न जानाति सः ज्ञाननाम अपि ।।२४९।।

અર્થઃદેહ-મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોકપ્રસિદ્ધ છે, તેમને પણ જો જ્ઞાન જ માનશો, તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી.

ભાવાર્થઃબાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવાવાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી.

હવે નાસ્તિકવાદી પ્રત્યે કહે છેઃ

अच्छीहिं पिच्छमाणो जीवाजीवादि-बहुविहं अत्थं
जो भणदि णत्थि किंचि वि सो झुठ्ठाणं महाझुठ्ठो ।।२५०।।