૧૩૪ ]
અર્થઃ — જે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે – ‘કાંઈ પણ નથી’ તે અસત્યવાદીઓમાં પણ મહા અસત્યવાદી છે.
ભાવાર્થઃ — પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ ‘નથી’ એમ કહેનારો મહા જૂઠો છો.
અર્થઃ — સર્વ વસ્તુ સત્રૂપ છે – વિદ્યમાન છે, તે વસ્તુ અસત્રૂપ – અવિદ્યમાન કેમ થાય? અથવા ‘કાંઈ પણ નથી’ એવું તો શૂન્ય છે, એમ પણ કેવી રીતે જાણે?
ભાવાર્થઃ — છતી (વિદ્યમાન – પ્રગટ – મોજૂદ) વસ્તુ અછતી (અવિદ્યમાન) કેમ થાય? તથા ‘કાંઈ પણ નથી’ તો એવું કહેવાવાળો – જાણવાવાળો પણ ન રહ્યો, પછી ‘શૂન્ય છે’ એમ કોણે જાણ્યું?
હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ —
અર્થઃ — જો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસત્રૂપ ઠર્યો, તો પછી ‘કોઈ પણ તત્ત્વ