Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 251.

< Previous Page   Next Page >


Page 134 of 297
PDF/HTML Page 158 of 321

 

૧૩૪ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
अक्षिभ्यां प्रेक्षमाणः जीवाजीवादि-बहुविधं अर्थम्
यः भणति नास्ति किञ्चिदपि सः जुष्टानां महाजुष्टः ।।२५०।।

અર્થઃજે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે‘કાંઈ પણ નથી’ તે અસત્યવાદીઓમાં પણ મહા અસત્યવાદી છે.

ભાવાર્થઃપ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ ‘નથી’ એમ કહેનારો મહા જૂઠો છો.

जं सव्वं पि य संतं ता सो वि असंतओ कहं होदि
णत्थि त्ति किंचि तत्तो अहवा सुण्णं कहं मुणदि ।।२५१।।
यत् सर्वं अपि च सत् तत् सः अपि असत्कः कथं भवति
नास्ति इति किञ्चित् ततः अथवा शून्यं कथं जानाति ।।२५१।।

અર્થઃસર્વ વસ્તુ સત્રૂપ છેવિદ્યમાન છે, તે વસ્તુ અસત્રૂપ અવિદ્યમાન કેમ થાય? અથવા ‘કાંઈ પણ નથી’ એવું તો શૂન્ય છે, એમ પણ કેવી રીતે જાણે?

ભાવાર્થઃછતી (વિદ્યમાનપ્રગટમોજૂદ) વસ્તુ અછતી (અવિદ્યમાન) કેમ થાય? તથા ‘કાંઈ પણ નથી’ તો એવું કહેવાવાળો જાણવાવાળો પણ ન રહ્યો, પછી ‘શૂન્ય છે’ એમ કોણે જાણ્યું?

હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ

जदि सव्वं पि असंतं ता सो वि य संतओ कहं भणदि
णत्थि त्ति किं पि तच्चं अहवा सुण्णं कहं मुणदि ।।
यदि सर्वं अपि असत् तत् सः अपि च सत्कः कथं भणति
नास्ति इति किमपि तत्त्वं अथवा शून्यं कथं जानाति ।।

અર્થઃજો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસત્રૂપ ઠર્યો, તો પછી ‘કોઈ પણ તત્ત્વ