अक्षिभ्यां प्रेक्षमाणः जीवाजीवादि-बहुविधं अर्थम् ।
यः भणति नास्ति किञ्चिदपि सः जुष्टानां महाजुष्टः ।।२५०।।
અર્થઃ — જે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને
આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે – ‘કાંઈ પણ નથી’
તે અસત્યવાદીઓમાં પણ મહા અસત્યવાદી છે.
ભાવાર્થઃ — પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ ‘નથી’ એમ કહેનારો
મહા જૂઠો છો.
जं सव्वं पि य संतं ता सो वि असंतओ कहं होदि ।
णत्थि त्ति किंचि तत्तो अहवा सुण्णं कहं मुणदि ।।२५१।।
यत् सर्वं अपि च सत् तत् सः अपि असत्कः कथं भवति ।
नास्ति इति किञ्चित् ततः अथवा शून्यं कथं जानाति ।।२५१।।
અર્થઃ — સર્વ વસ્તુ સત્રૂપ છે – વિદ્યમાન છે, તે વસ્તુ અસત્રૂપ
– અવિદ્યમાન કેમ થાય? અથવા ‘કાંઈ પણ નથી’ એવું તો શૂન્ય છે,
એમ પણ કેવી રીતે જાણે?
ભાવાર્થઃ — છતી (વિદ્યમાન – પ્રગટ – મોજૂદ) વસ્તુ અછતી
(અવિદ્યમાન) કેમ થાય? તથા ‘કાંઈ પણ નથી’ તો એવું કહેવાવાળો
– જાણવાવાળો પણ ન રહ્યો, પછી ‘શૂન્ય છે’ એમ કોણે જાણ્યું?
હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ —
जदि सव्वं पि असंतं ता सो वि य संतओ कहं भणदि ।
णत्थि त्ति किं पि तच्चं अहवा सुण्णं कहं मुणदि ।।
यदि सर्वं अपि असत् तत् सः अपि च सत्कः कथं भणति ।
नास्ति इति किमपि तत्त्वं अथवा शून्यं कथं जानाति ।।
અર્થઃ — જો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ
કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસત્રૂપ ઠર્યો, તો પછી ‘કોઈ પણ તત્ત્વ
૧૩૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા