Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 252-253.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/Dn6
Tiny url for this page: http://samyakdarshan.org/GbY044W

Page 135 of 297
PDF/HTML Page 159 of 321

 

Hide bookmarks
background image
નથી.’ એમ તે કેવી રીતે કહે છે? અથવા ‘કહેવાવાળો પણ નથી,’ તો
શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
ભાવાર્થઃપોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ
નથી’ પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો
માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ
કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી) છે.
किं बहुणा उत्तेण य जेत्तियमेत्ताणि संति णामाणि
तेत्तियमेत्ता अत्था संति ते णियमेण परमत्था ।।२५२।।
किं बहुना उक्तेन च यावन्मात्राणि सन्ति नामानि
तावन्मात्राः अर्थाः सन्ति च नियमेन परमार्थाः ।।२५२।।
અર્થઃઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી
પદાર્થો પરમાર્થરૂપે છે.
ભાવાર્થઃજેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે. ઘણું
કહેવાથી બસ થાઓ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છેઃ
णाणाधम्मेहिं जुदं अप्पाणं तह परं पि णिच्छयदो
जं जाणेदि सजोगं तं णाणं भण्णदे समए ।।२५३।।
नानाधर्मैः युतं आत्मानं तथा परं अपि निश्चयतः
यत् जानाति स्वयोग्यं तत् ज्ञानं भण्यते समये ।।२५३।।
અર્થઃજે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની
યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થઃપોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર
જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે.
એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૫