નથી.’ એમ તે કેવી રીતે કહે છે? અથવા ‘કહેવાવાળો પણ નથી,’ તો
શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
ભાવાર્થઃ — પોતે પ્રગટ વિદ્યમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ
નથી’ પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો
માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ
કહે છે કોણ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી) છે.
किं बहुणा उत्तेण य जेत्तियमेत्ताणि संति णामाणि ।
तेत्तियमेत्ता अत्था संति ते णियमेण परमत्था ।।२५२।।
किं बहुना उक्तेन च यावन्मात्राणि सन्ति नामानि ।
तावन्मात्राः अर्थाः सन्ति च नियमेन परमार्थाः ।।२५२।।
અર્થઃ — ઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી
પદાર્થો પરમાર્થરૂપે છે.
ભાવાર્થઃ — જેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે. ઘણું
કહેવાથી બસ થાઓ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છેઃ —
णाणाधम्मेहिं जुदं अप्पाणं तह परं पि णिच्छयदो ।
जं जाणेदि सजोगं तं णाणं भण्णदे समए ।।२५३।।
नानाधर्मैः युतं आत्मानं तथा परं अपि निश्चयतः ।
यत् जानाति स्वयोग्यं तत् ज्ञानं भण्यते समये ।।२५३।।
અર્થઃ — જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની
યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થઃ — પોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર
જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે.
એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૫