૧૩૮ ]
અર્થઃ — ઇન્દ્રિયોથી ઉત્પન્ન જે મતિજ્ઞાન છે તે પોતાને યોગ્ય વિષય જે પુદ્ગલદ્રવ્ય તેને જાણે છે. જે ઇન્દ્રિયનો જેવો વિષય છે તેવો જ જાણે છે. મનસંબંધી જ્ઞાન છે તે શ્રુતવિષય (અર્થાત્ શાસ્ત્ર-વચનને સાંભળે છે, તેના અર્થને જાણે છે) તથા ઇન્દ્રિયથી જાણવામાં આવે તેને પણ જાણે છે.
હવે ઇન્દ્રિયજ્ઞાનના ઉપયોગની પ્રવૃત્તિ અનુક્રમથી છે એમ કહે છેઃ —
અર્થઃ — પાંચે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે પણ તેમાંથી કોઈ એક ઇન્દ્રિયદ્વારથી જ્ઞાન ઉપયુક્ત (જોડાવું) થાય છે, પરંતુ પાંચે એકસાથ -એકકાળમાં ઉપયુક્ત થતાં નથી. વળી મનોજ્ઞાનથી ઉપયુક્ત થાય ત્યારે ઇન્દ્રિયજ્ઞાન ઊપજતું નથી.
ભાવાર્થઃ — ઇન્દ્રિય-મન સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ યુગપત્ (એકસાથ) થતી નથી પણ એક કાળમાં એક જ જ્ઞાનથી ઉપયુક્ત થાય છે. જ્યારે આ જીવ ઘટને જાણતો હોય ત્યારે તે કાળમાં પટને જાણતો નથી. એ પ્રમાણે એ જ્ઞાન ક્રમરૂપ છે.
હવે, ઇન્દ્રિય-મનસંબંધી જ્ઞાનની ક્રમથી પ્રવૃત્તિ કહી તો ત્યાં આશંકા થાય છે કે – ઇન્દ્રિયોનું જ્ઞાન એક કાળમાં છે કે નહિ? એ આશંકાને દૂર કરવા કહે છેઃ —