લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જીવને એક કાળમાં એક જ જ્ઞાન ઉપયુક્ત અર્થાત્ ઉપયોગની પ્રવૃત્તિ થાય છે; અને લબ્ધિસ્વભાવથી એક કાળમાં નાના જ્ઞાન કહ્યાં છે.
ભાવાર્થઃ — ભાવઇન્દ્રિય બે પ્રકારની કહી છેઃ એક લબ્ધિરૂપ તથા બીજી ઉપયોગરૂપ. ત્યાં જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી આત્મામાં જાણવાની શક્તિ થાય તેને લબ્ધિ કહે છે અને તે તો પાંચ ઇન્દ્રિય તથા મન દ્વારા જાણવાની શક્તિ એક કાળમાં જ રહે છે, પરંતુ તેમાં ઉપયોગની વ્યક્તિરૂપ પ્રવૃત્તિ છે તે જ્ઞેય પ્રત્યે ઉપયુક્ત થાય છે ત્યારે એક કાળમાં એકથી જ થાય છે. એવી જ ક્ષયોપશમજ્ઞાનની યોગ્યતા છે.
હવે, વસ્તુને અનેકાત્મપણું છે તો પણ અપેક્ષાથી એકાત્મપણું પણ છે એમ કહે છેઃ —
અર્થઃ — જે વસ્તુ અનેકાન્ત છે તે અપેક્ષાસહિત એકાન્ત પણ છે. ત્યાં શ્રુતજ્ઞાનપ્રમાણથી સાધવામાં આવે તો વસ્તુ અનેકાન્ત જ છે તથા શ્રુતજ્ઞાનપ્રમાણના અંશરૂપ નયથી સાધવામાં આવે તો વસ્તુ એકાન્ત પણ છે અને તે અપેક્ષારહિત નથી. કારણ કે, નિરપેક્ષ નય મિથ્યા છે અર્થાત્ નિરપેક્ષતાથી વસ્તુનું સ્વરૂપ જોવામાં આવતું નથી.
ભાવાર્થઃ — વસ્તુના સર્વ ધર્મોને એક કાળમાં સાધે તે પ્રમાણ છે તથા તેના એક એક ધર્મોને જ ગ્રહણ કરે તે નય છે. તેથી એક નય બીજા નયની સાપેક્ષતા હોય તો વસ્તુ સાધી શકાય પણ અપેક્ષારહિત