૧૪૨ ]
અર્થઃ — વસ્તુનો (કોઈ) એક ધર્મ, તે ધર્મનો વાચક શબ્દ તથા તે ધર્મને જાણવાવાળું જ્ઞાન એ ત્રણેય નયના વિશેષ (ભેદ) છે.
ભાવાર્થઃ — વસ્તુનું ગ્રહણ કરવાવાળું જ્ઞાન, તેનો વાચક શબ્દ તથા વસ્તુ, એને (એ ત્રણેને) જેમ પ્રમાણસ્વરૂપ કહેવામાં આવે છે તેમ નય પણ કહેવામાં આવે છે.
હવે વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે એવા એક નય (જ્ઞાન)ને મિથ્યાત્વ શા માટે કહેવામાં આવે છે? તેનો ઉત્તર કહે છેઃ —
અર્થઃ — પ્રથમ કહેલા ત્રણ પ્રકારના નય તે જો પરસ્પર અપેક્ષાસહિત હોય તો તે સુનય છે; પરંતુ એ જ જ્યારે અપેક્ષા રહિત સર્વથા એક એક ગ્રહણ કરવામાં આવે ત્યારે તે દુર્નય (મિથ્યાનય) છે. સુનયોથી સર્વ વ્યવહારની (વસ્તુના સ્વરૂપની) સિદ્ધિ થાય છે.
ભાવાર્થઃ — નય છે તે બધાય સાપેક્ષ હોય તો સુનય છે અને નિરપેક્ષ હોય તો કુનય છે. સાપેક્ષતાથી સર્વ વસ્તુવ્યવહારની સિદ્ધિ છે – સમ્યક્જ્ઞાન સ્વરૂપ છે તથા કુનયોથી સર્વ લોકવ્યવહારનો લોપ થાય છે – મિથ્યાજ્ઞાનરૂપ છે.
હવે, પરોક્ષજ્ઞાનમાં અનુમાનપ્રમાણ પણ છે, તેનું દ્રષ્ટાંતપૂર્વક સ્વરૂપ કહે છેઃ —