Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 268-269.

< Previous Page   Next Page >


Page 143 of 297
PDF/HTML Page 167 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૪૩
यत् जानाति जीवः इन्द्रियव्यापारकायचेष्टाभिः
तत् अनुमानं भण्यते तमपि नयं बहुविधं जानीहि ।।२६७।।

અર્થઃઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાનપ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે.

ભાવાર્થઃપહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે, શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી. તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સૂંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન-આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે ‘શરીરમાં જીવ છે’. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરમાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે.

હવે નયોના ભેદોને કહે છેઃ

सो संगहेण एक्को दुविहो वि य दव्वपज्जएहिंतो
तेसिं च विसेसादो णइगमपहुदी हवे णाणं ।।२६८।।
सः संग्रहेन एकः द्विविधः अपि च द्रव्यपर्यायाभ्याम्
तयोः च विशेषात् नैगमप्रभृतिः भवेत् ज्ञानं ।।२६८।।

અર્થઃતે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમનય આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે.

હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છેઃ

जो साहदि सामण्णं अविणाभूदं विसेसरूवेहिं
णाणाजुत्तिबलादो दव्वत्थो सो णओ होदि ।।२६९।।