લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — ઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાનપ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે.
ભાવાર્થઃ — પહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે, શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી. તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સૂંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન-આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે ‘શરીરમાં જીવ છે’. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરમાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે.
હવે નયોના ભેદોને કહે છેઃ —
અર્થઃ — તે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમનય આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે.
હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છેઃ —