૧૪૪ ]
અર્થઃ — જે નય વસ્તુને તેના વિશેષરૂપથી અવિનાભૂત સામાન્યસ્વરૂપને નાના પ્રકારની યુક્તિના બળથી સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
ભાવાર્થઃ — વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી. એ પ્રમાણે યુક્તિના બળથી સામાન્યને સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
હવે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાધે તે પર્યાયાર્થિકનય છે.
ભાવાર્થઃ — સામાન્ય સહિત તેના વિશેષોને હેતુપૂર્વક સાધે તે પર્યાયાર્થિકનય છે. જેમ સત્ સામાન્યપણા સહિત ચેતન-અચેતનપણું તેનું વિશેષ છે, ચિત્ સામાન્યપણા સહિત સંસારી-સિદ્ધ જીવપણું તેનું વિશેષ છે, સંસારીપણા સામાન્ય સહિત ત્રસ-સ્થાવર જીવપણું તેનું વિશેષ છે, ઇત્યાદિ. વળી અચેતન સામાન્યપણા સહિત પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તેનાં વિશેષ છે તથા પુદ્ગલ સામાન્યપણા સહિત અણુ -સ્કંધ-ઘટ-પટ આદિ તેનાં વિશેષ છે. ઇત્યાદિ પર્યાયાર્થિકનય હેતુપૂર્વક સાધવામાં આવે છે.
હવે દ્રવ્યાર્થિકનયના ભેદો કહે છે; ત્યાં પહેલાં નૈગમનય કહે છેઃ —