લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જે નય ભૂત, ભવિષ્ય તથા વર્તમાનરૂપ વિકલ્પથી સંકલ્પમાત્ર (પદાર્થને) સાધે તે નૈગમનય છે.
ભાવાર્થઃ — ત્રણ કાળના પર્યાયોમાં અન્વયરૂપ છે તે દ્રવ્ય છે. તેને પોતાના વિષયથી ભૂતકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે, ભાવિકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે તથા વર્તમાનકાળની પર્યાયને તે કિંચિત્ નિષ્પન્ન૧ હોય વા અનિષ્પન્ન૨ હોય તો પણ નિષ્પન્નરૂપ સંકલ્પમાં લે એવા જ્ઞાન તથા વચનને નૈગમનય કહે છે. તેના અનેક ભેદ છે. સર્વ નયના વિષયને મુખ્યતા-ગૌણતાથી પોતાના સંકલ્પરૂપે વિષય કરે છે. જેમ કે – મનુષ્ય નામના જીવદ્રવ્યને સંસારપર્યાય છે, સિદ્ધપર્યાય છે તથા આ મનુષ્યપર્યાય છે એમ કહે તો ત્યાં સંસારપર્યાય તો અતીત-અનાગત-વર્તમાન ત્રણ કાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે, છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન-વિદ્યમાનવત્ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે કે ‘આ દ્રવ્યમાં, મારા જ્ઞાનમાં, હાલ આ પર્યાય ભાસે છે’ એવા સંકલ્પને નૈગમનયનો વિષય કહે છે. એમાંથી કોઈને મુખ્ય તથા કોઈને ગૌણરૂપ કહે છે.
હવે સંગ્રહનય કહે છેઃ —
૧ નિષ્પન્ન = પ્રાપ્ત વા પ્રગટ. ૨ અનિષ્પન્ન = અપ્રાપ્ત વા અપ્રગટ.