૧૪૬ ]
અર્થઃ — જે નય સર્વ વસ્તુને વા તેના દેશને અર્થાત્ એક વસ્તુના સર્વ ભેદોને અનેક પ્રકાર દ્રવ્ય-પર્યાયસહિત અન્વયલિંગ-વિશિષ્ટ સંગ્રહ કરે – એકરૂપ કહે તે સંગ્રહનય છે.
ભાવાર્થઃ — સર્વ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યલક્ષણ સત્થી — દ્રવ્ય – પર્યાયોથી અન્વયરૂપ ‘એક સત્માત્ર છે’ એમ કહે, વા સામાન્ય સત્સ્વરૂપ દ્રવ્યમાત્ર છે વા વિશેષ સત્રૂપ પર્યાયમાત્ર છે, વા જીવવસ્તુ ચિત્સામાન્યથી એક છે વા સિદ્ધત્વસામાન્યથી સર્વ સિદ્ધો એક છે, વા સંસારીત્વસામાન્યથી સર્વ સંસારીજીવ એક છે, ઇત્યાદિ. તથા અજીવસામાન્યથી પુદ્ગલાદિ પાંચે દ્રવ્ય એક અજીવદ્રવ્ય છે વા પુદ્ગલત્વસામાન્યથી અણુ – સ્કંધ – ઘટ – પટાદિ એક પુદ્ગલદ્રવ્ય છે, ઇત્યાદિ સંગ્રહરૂપ કહે તે સંગ્રહનય છે.
આગળ વ્યવહારનય કહે છેઃ —
અર્થઃ — સંગ્રહનય દ્વારા વસ્તુને વિશેષરહિત ગ્રહણ કરી હતી તેને પરમાણુ પર્યંત નિરંતર જે નય ભેદે તે વ્યવહારનય છે.
ભાવાર્થઃ — સંગ્રહનયે સર્વને સત્ કહ્યું, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે – દ્રવ્યસત્ છે, પર્યાયસત્ છે. સંગ્રહનય દ્રવ્યસામાન્યને ગ્રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે દ્રવ્ય જીવ-અજીવ બે ભેદરૂપ છે. સંગ્રહનય જીવસામાન્યને ગ્રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે – જીવ સંસારી ને સિદ્ધ બે ભેદરૂપ છે; ઇત્યાદિ. વળી સંગ્રહનય પર્યાયસામાન્યને સંગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે પર્યાય અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયરૂપ બે ભેદથી છે. એ જ પ્રમાણે સંગ્રહનય અજીવસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરી અજીવ એવાં પુદ્ગલાદિ પાંચે