Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 274-275.

< Previous Page   Next Page >


Page 147 of 297
PDF/HTML Page 171 of 321

 

લોકાનુપ્રેક્ષા ]

[ ૧૪૭

દ્રવ્યો ભેદરૂપ છે. સંગ્રહનય પુદ્ગલસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય અણુ-સ્કંધ-ઘટ-પટાદિ ભેદરૂપ કહે છે. એ પ્રમાણે જેને સંગ્રહનય ગ્રહણ કરે તેમાં વ્યવહારનય ભેદ કરતો જાય છે અને તે ત્યાં સુધી કે ફરી બીજો ભેદ થઈ શકે નહિ, ત્યાં સુધી સંગ્રહવ્યવહારનયનો વિષય છે. એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ કહ્યા.

હવે પર્યાયાર્થિકનયના ભેદ કહે છે. ત્યાં પ્રથમ ૠજુસૂત્રનય કહે છેઃ

जो वट्टमाणकाले अत्थपज्जायपरिणदं अत्थं
संतं साहदि सव्वं तं पि णयं रिजुणयं जाण ।।२७४।।
यः वर्त्तमानकाले अर्थपर्यायपरिणतं अर्थम्
सन्तं साधयति सर्वं तमपि नयः ऋजुनयं जानीहि ।।२७४।।

અર્થઃવર્તમાનકાળમાં અર્થપર્યાયરૂપ પરિણમેલા અર્થને સર્વને સત્રૂપ સાધે (ગ્રહણ કરે) તે ૠજુસૂત્રનય છે.

ભાવાર્થઃવસ્તુ સમયે સમયે પરિણમે છે. વર્તમાન એક સમયની પર્યાયને અર્થપર્યાય કહે છે અને તે ૠજુસૂત્રનયનો વિષય છે; તે વસ્તુને પર્યાયમાત્ર જ કહે છે. વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાનકાળસ્થાયી પર્યાયને પણ ૠજુસૂત્રનય સાધે છે તેથી તેની સ્થૂલ ૠજુસૂત્ર સંજ્ઞા છે. એ પ્રમાણે પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ ૠજુસૂત્રનય મળી ચારે નયોને અર્થનય કહેવામાં આવે છે.

હવે ત્રણ પ્રકારના શબ્દનયો કહે છે. ત્યાં પહેલાં શબ્દનય કહે છેઃ

सव्वेसिं वत्थूणं संखालिंगादि-बहुपयारेहिं
जो साहदि णाणत्तं सद्दणयं तं वियाणेह ।।२७५।।
सर्वेषां वस्तूनां संख्यालिङ्गादिबहुप्रकारैः
यः साधयति नानात्वं शब्दनयं तं विजानीहि ।।२७५।।