૧૫૦ ]
અર્થઃ — જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા અભ્યાસ કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે.
ભાવાર્થઃ — તત્ત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું, ભાવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમ કાળમાં તત્ત્વના યથાર્થ વક્તા દુર્લભ છે તથા તેને ધારણ કરવાવાળા પણ દુર્લભ છે.
હવે કહે છે કે ઉપર કહેલા તત્ત્વને સાંભળી તેને નિશ્ચલભાવથી જે ભાવે છે તે તત્ત્વને જાણે છેઃ —
અર્થઃ — જે પુરુષ ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે – તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
હવે કહે છે કે તત્ત્વની ભાવના નથી કરતો એવો ક્યો પુરુષ છે કે જે સ્ત્રી આદિને વશ નથી? અર્થાત્ સર્વ લોક છેઃ —